________________ \ / * *** દર યુરોપીય પ્રજાના આચરણને પ્રજાન ઈતિહાસ, કરવાની શક્તિ જેની જતી રહી છે એવો કઈ વૃદ્ધ માણસ પોતાની જુવાનીના મૂર્ખતા સાંભળીને ગેરવાજબી રીતે તેને કદિ વડે છે. દુરાચારી માણસ પિતાના દુરાચાર છાતી ખોલીને સ્વાભાવિક સદાચારવાળા માણસ આગળ કહી શકતો નથી તે તેના સદાચારની બીકથી નહિ, પણ તેની અજ્ઞાનતાની બીકથી; કારણ કે તે જાણે છે કે અનુભવની ખામીને લીધે સદાચારી માણસ તેની વાત સમજી શકે એમ નથી. અહીં કોઈ કહેશે કે ઈશ્વરમાં દુરાચારને કાંઈ પણ અશ લેકે સ્વીકારતા નથી અને છતાં તે ન્યાયી કહેવાય છે. તે તેને જવાબ એ છે કે ઈશ્વરમાં સંપૂર્ણ નીતિની સાથે સર્વજ્ઞતા પણ રહેલી છે; તેથી મનની દરેક અવસ્થા તે સારી રીતે સમજી શકે છે, અને તેથી દરેક માણસની સાથે તે સમચિત્તતા રાખી શકે છે, માટે જ તે ન્યાયી કહેવાય છે. જેમ જેમ આપણી વિવેક શક્તિ વધતી જાય છે અને કલ્પના શક્તિ ખીલતી જાય છે તેમ તેમ આપણને લાગતું જાય છે કે ચારિત્ર્ય અને અભિપ્રાય ઉપર સંગેની અસર બહુ થાય છે, અને નૈતિક અસમાનતેના આપણુ આગલા અભિપ્રાય બહુ ભૂલભરેલા હતા એમ આપણને લાગતું જાય છે. આ પ્રમાણે જ્યાં પ્રથમ પ્રબળ અણગમા હોય છે ત્યાં ઘીમે ધીમે વૃત્તિઓ કમળ થતી જાય છે. ઉદાર અભિપ્રાય બાંધતાં માણસો શીખે છે, પણ નૈતિક ઉત્સાહ કાંઈક કમી થાય છે. વળી સુધારાની ભિન્ન ભિન્ન દશામાં કલ્પનાને વિકાસ પણ ભિન્ન ભિન્ન થાય છે. પ્રાથમિક સુધારાની નિર્બળ દશામાં સૂક્ષ્મ વિચારે ગ્રહણ કરવાની શક્તિ તેનામાં ડીજ હોય છે, અને તેથી એવા વિચારે સ્કૂલ અને રૂપક રૂપે જ એનાથી સમજી શકાય છે. લેખન કળાની શરૂઆત ચિત્રલીપી અથવા સાંકેતિક ચિત્રથી થાય છે. શરૂઆતની ઈશ્વર-ભક્તિમાં છવાર પણ કે મૂર્તિપૂજા હોય છે. વસ્તૃત્વ શક્તિ પ્રથમ ચિત્રાત્મક, ઇન્દ્રિયગ્રાહ્ય અને અલંકારિક હોય છે; અને તત્વ ચિંતનની શરૂઆત દેવ દેવીઓની કથાથી થાય છે. કલ્પના પ્રથમ પૃથક્ પ્રથફ દાખલાઓ ઉપર જ ચેટેિ છે; પછી સામાન્ય અંશ ઉપર લક્ષ રાખતાં શીખી ધીમે ધીમે જાતિ કે સુવ્યવસ્થિત સંસ્થા સમજી શકે છે; અને નૈતિક કે માનસિક સિદ્ધાંતનું ગ્રહણ