________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. જે પ્રજા એમ કરતી નથી તેના સ્વભાવમાં કાંઈક ઢંગધડા વગરનું અને અનિયમિત વલણ હોય છે. અતિશયોક્તિ કરવાની, નાની નાની બાબતમાં જૂઠું બોલવાની અને આપેલા વાયદા નહિ સાચવવાની તેમને ટેવ હોય છે. પરંતુ તે ઉપરથી તે પ્રજા (બીજી કઈપણ બાબતમાં ગુણવાન નથી એમ ધારવાની ભૂલ આપણે કરવી ન જોઈએ; કારણકે બીજી ઘણી બાબતમાં તે પ્રજા ઘણી સદાચારી હોય તે તે બનવા જેવું છે. જ્યાં લેકમાં ઔધોગિક સાહસનો પવન રગેરગમાં ફેલાઈ ગએલો નથી હતા, ત્યાં સત્ય બોલવાના ગુણને ઝાઝી અગત્યતા અપાતી નથી, છતાં તે લેકેમાં કેટલાક ગુણ એવા માલમ પડે છે કે જે ઉદ્યોગી પ્રજામાં ભાગ્યેજ માલમ પડે છે. કારણકે તે લેકે જેકે નાની નાની બાબતમાં જૂઠું બોલે છે, છતાં ધર્મની ઉડી લાગણીવાળા, ઈશ્વરમાં આસ્થા અને વિશ્વાસ વાળા, ગરીબાઈમાં સં. તોષ અને પ્રસન્ન મનથી દુઃખ સહન કરી લેવાની ટેવવાળા ઇત્યાદિ અનેક સારા ગુણે વાળા તેમને આપણે જોઈએ છીએ. પિતાના ધર્મનું એવું તે અભિમાન તેમને હોય છે કે ગમે તેવા જુલમથી પણ પિતાને ધર્મ તેઓ છોડતા નથી. ઉદ્યોગ હુન્નરની વૃદ્ધિ સાથે ઔદ્યોગિક સત્યને ખાસ કરીને પ્રચાર વધે છે. પરંતુ આવા પ્રકારની સત્યતા માણસમાં બહુ હોય, છતાં સામાછક સત્યતા તેનામાં ન હોય એમ પણ બને છે. વિવાદના વિષયમાં સઘળી અભિપ્રાય, સઘળી દલીલે, અને સઘળી હકીકતો સાંભળી તેમાં નિષ્પક્ષપાતતા રાખવી તેનું નામ સામાજીક સત્યતા છે. સ્વતંત્ર પ્રજાની આ - ખાસ પ્રકૃતિ હોય છે, અને પ્રજાકીય જીવનમાં એ ખાસ કરીને ઉછરે છે. દરેક બાબતમાં સ્વતંત્ર અને નિરંકુશ સંવાદ થતો હોવાથી તેની કઈ બાજુ ગુપ્ત રહી શક્તી નથી, અને ગુપ્ત રહે તો તેમાં લેકેને અન્યાય થતો લાગે છે. અને અન્યાયની આ લાગણી ધીમે ધીમે બુદ્ધિના આખા જીવનમાં ફરી વળે છે અને અંતે પ્રજાકીય જીવનને એક મુખ્ય અંશ તે બની રહે છે. પરંતુ બુદ્ધિવિષયક સદાચારનો આથી પણ વધારે ઉંચ્ચ એક બીજો પ્રકાર છે. બુદ્ધિ જેમ જેમ ખીલતી જાય છે અને વિશેષે કરીને તત્વચિંતનને