________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ.. વાત ખરી, પરંતુ આપણા સ્વભાવના નીચ ભાગને ભ્રષ્ટ ગણવામાં આપણ સ્વભાવની યથાસ્થિત હકીકત જ તેઓ જાહેર કરે છે. વળી એક બીજી વાત પણ સમજવા જેવી છે. કેટલીક પ્રજાએ કુંવારી છદગીને જેટલી પવિત્રતા અપ છે તેટલી જ પવિત્રતા બીજી કેટલીક પ્રજાએ એક કરતાં વધારે સ્ત્રી કરવાના ચાલને અપી છે એ વાત પણ સાચી નથી. પવિત્રતાના પગથીઆ પગથીઆમાં પણ ફેર છે. મુસલમાન લેકે સારા માણસને સ્વર્ગમાં પરીઓ મળવાની વાત કરે છે તેને અર્થ એ નથી કે એવા સુખને તેઓ સદાચારનું શિબિંદુ ગણે છે. પરંતુ આ દુનિયામાં સદાચાર આચરવાનો છે અને સ્વર્ગમાં તેને બદલે મળવાનું છે એમ તેમનું તાત્પર્ય છે. જે કોઈ જંગલી પ્રજામાં કામાસકિત દેવતારૂપે પૂજાઈ હોય, તો તેનું કારણ એમ હતું કે કુદરત કે જેની ફળદ્રપ શકિત મનુષ્યના લક્ષમાં પ્રથમ આવે છે તે કુદરતનાં બળની પૂજા માણસમાં ધર્મનું પ્રથમ રૂપ ધારણ કરે છે; અને દેવ અને નીતિની એકતાનું ભાન મોડું મોડું થાય છે. કેટલીક પ્રજાએ કુમારિકાવ્રતને વખોડયું છે, પણ તે એટલા માટે નહિ કે બ્રહ્મચર્ય કરતાં કામ– સક્તિ વધારે પવિત્ર છે; પરંતુ લડાયક પ્રજાના અસ્તિત્વને આધાર લડવૈયાની સંખ્યા ઉપર હોવાથી કુંવારી કન્યાથી દેશને ફાયદો થતો નથી. આ પ્રમાણે યાહુદી લેકે વસ્તીની વૃદ્ધિમાં દેશની આબાદી ગણતા હતા. પરંતુ તે પ્રજામાં પણ અમુક પંથવાળા કુમારિકાવ્રતને પવિત્રતાનું શિરબિંદુ ગણતા હતા. આમ કેટલાંક કાર્યો અમુક વખતે સદાચારી ગણાયાં છે અને તે જ કાર્યો બીજા જમાનામાં દુરાચારી ગણાયાં છે માટે આંતરવાદ અસંગત છે એ આક્ષેપ ટકી શકતો નથી એ વાત હવે સ્પષ્ટ છે. જો કે પ્રાપ્ત સદાચારનાં ધોરણે જમાને જમાને બદલાયાં છે, તથાપિ તેની તે જ વૃત્તિઓને કેળવવામાં સદાચાર હમેશાં ગણાય છે. નીતિની બાબતમાં, વાજબી કે ગેરવાજબી અથવા સદાચાર કે દુરાચાર કરતાં વધારે ઉચ્ચ કે ઓછું ઉચ્ચ, વધારે ઉત્તમ કે. ઓછું ઉત્તમ એ શબ્દ વાપરવા વધારે યુક્ત છે. અમુક અર્થમાં નૈતિક