________________ 84 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કદિ જતી રહેતી નથી અને તેથી તેની અસર નૈતિક જીવનની અસ્થિરતા માંથી મેટે ભાગે મુક્ત રહે છે. પ્રાચીન સમયમાં કોઈ મહાન પુરૂષનું આગમન પ્રજાની પ્રગતિમાં ભ ઉત્પન્ન કરી શક્ત અથવા તેને ત્વરિત કરી મૂકતું. અર્વાચીન સમયમાં એ જ કામ કઈમેટી નવીન શેધથી થાય છે. છાપવાની કળાથી ભૂતકાળમાં થએલો બુદ્ધિનો પરિશ્રમ જળવાઈ રહ્યો છે અને તેથી કરીને ભવિષ્યમાં આગળ વધવાની ચેકસ ખાત્રી મળી છે દારૂગળા અને લડાયક હથિયારની શોધથી જંગલી પ્રજાને વિજયી થવાનો સંભવ હવે જ રહ્યો છે. વરાળીયંત્રને લીધે જૂદી જૂદી પ્રજાઓ નિકટ સંબંધમાં આવવા લાગી છે અને તેથી એકતા વધી છે. અને અસંખ્ય યાંત્રિક યુકિતઓને લીધે ઔદ્યોગિક તત્ત્વ એટલું બધું બહાર આવી ગયું છે કે તેથી આપણા સુધારાની દરેક શાખા રંગાઈ ગઈ છે. જરીક વિચારતાં દરેક જણને માલમ પડશે કે સૃષ્ટિ-વિજ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ, ધખોળ કરવાની કુશળતા અને ઔદ્યોગિક સાહસ-આ ત્રણે બાબતનો એ અરસપરસ સંબંધ છે કે કોઈ પણ પ્રજા તેમાંથી એકને લાંબા વખત સુધી પ્રયાસ કરે તો બીજી બે બાબતે તેની પછવાડે એમની મેળે ચાલી આવે છે. કુદરતના કાયદાનું જ્ઞાન હોય તે નવી નવી શો થઈ શકે છે, અને શેધનાં સાહિત્યથી જ્ઞાન વધતું જાય છે, અને ઉદ્યોગને આધાર એ બન્ને ઉપર છે, તેથી તેમને આ સંબંધ અમુક અંશે કાર્યકારણ સંબંધ છે. ઉપરાંત તેમનામાં એકરાગતા પણ રહેલી છે. વિચારનું એક જ જાતનું વલણ કે ટેવ આ ત્રણે રૂપે વિસ્તૃત થાય છે. વ્યાહારિક માણસનાં એ લક્ષણ છે, કેવળ વિચારકનાં નથી હોતાં. એવો માણસ સાવધ રહી અવલોકન કરે છે અને પ્રયોગ કરવામાં પ્રવૃત્ત રહે છે. ટૂંકામાં, તે કેવળ વિચારક નથી હોત, પણ સુધારક હોય છે. પ્રાચીન લેકે એમ માનતા કે કુદરત ઉપર કોઈ દેવ પિતાની મરજી પ્રમાણે અમલ કરે છે, તેથી સૃષ્ટિ વિજ્ઞાન શાસ્ત્ર પ્રત્યે તેમને અભાવ થયે; અને ઔદ્યોગિક સાહસો. તેમનામાં ગુલામ કરતા, તેથી તે સાહસ ઉપર પણ તેમને અભાવ હત; તેથી તેઓ વિચારશીલ વધારે રહ્યા; આ બન્ને બાબતે ઉપર અર્વાચીન