________________ 86 ' યુરોપીય આચરણનો પ્રજાન ઇતિહાસ. ત્તમ માને છે અને તે મતથી કમળ ગુણો ખાસ ખીલી નીકળે છે, અને જનહિતવાદ ઔદ્યોગિક ગુણેને ખાસ કરીને અનુકૂળ છે. આ ત્રણમાંથી જે આચરણ સમાજમાં સર્વોત્તમ મનાતું હોય તેને અનુરૂપ નીતિને સિદ્ધાંત તે સમાજમાં ગ્રહણ થાય છે. અને સિદ્ધાંત બંધાયા પછી તે આચરણ, દૃઢતર થતું જાય છે. આમ આચરણ અને સિદ્ધાંત એક બીજાને દઢ કરે છે. આચરણનો ઈતિહાસ લખનારે આ વાત લક્ષમાં રાખવાની છે. એથેંન્સમાં અન્ય મત લગભગ અસ્ત પામી ગયા હતા, તે પણ એપિકધુરસને મત લાંબા વખત સુધી ટકી રહ્યો હતો. એથી ઉલટું રમના મહારાજ્યમાં લગભગ સઘળા મહાન પુરૂષો સ્ટઈક મતના અનુયાયીઓ હતા અને એપિક્યુરસને મત જુલમી અને ભ્રષ્ટ ગણાતિ હતો. આંતરવાદમાં સાદું અને સ્પષ્ટ બાહ્ય ધોરણ નહિ હોવાથી એ મત વહેમી, કાંઈક એમાં ગુહ્યન સમજાય તેવું હોય એવો, તરેહવાર, યુતિહીન, અને અવ્યવહાર લોકોને લાગે છે અને જનહિતવાદમાં સ્વાર્થની પ્રધાનતા હોવાથી અને -લાભની ગણત્રી તેમાં વારંવાર આવતી હોવાથી ઉચ્ચ નૈતિક દૃષ્ટિબિંદુને નીચે ઉતારી નાખવાનું તેમાં વલણ રહેલું છે. અને તેથી ચારિત્ર્ય સ્વાથ અને હલકું થઈ જવાને તેમાં સંભવ છે. આંતરવાદમાં નીતિનું પ્રાધાન્ય હોવાથી જીવનને ઝોક અને ધોરણ ઉંચા રહે છે. આસપાસના સંગની અસર મનુષ્યના વર્તન ઉપર કેવી થાય છે તે જનહિતવાદ જણાવતા હોવાથી, પણ અગત્યના વ્યાવહારિક સુધારાને તે જન્મ આપે છે. આમ દરેક મત એક બીજાની બેટ પૂરી પાડી એક બીજાને સુધારે છે. પણ તેમાંથી એકને જ વળગી તેમાંથી અંતે પરિણામ કાઢવા બેસીએ તો અનર્થ આવે છે, અને તે વખતે તેના હરીફ મતનો ઉપર હાથ થઈ જાય છે. આ પ્રમાણે માણસો પિતાની નૈતિક વૃત્તિઓની પરીક્ષા અને વગીકરણ કેવી રીતે કરે છે તે સંબંધી જૂદા જૂદા સિદ્ધાંત અને તેમનું વલણ આપણે જાણ્યું. હવે જે પદ્ધતિએ આ વૃત્તિઓને વિકાસ થતો જાય છે, અથવા બીજી રીતે બોલીએ તે, જે કારણોને લીધે સમાજનું નૈતિક ધરણ ઉચ્ચ થતું જાય છે અને જેને લીધે બીજા કરતાં અમુક સદાચાર પ્રત્યે