________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 87 તેમને પક્ષપાત વધારે બંધાય છે તે કારણે હવે આપણે તપાસીએ. અને તેમાંથી કેટલાક ઘણું ઉપયોગી સામાન્ય નિયમો આપણને મળી આવશે.. જેમ જેમ સમાજની વ્યવસ્થા બારીક થતી જાય છે તેમ તેમ સૈનિક સદાચાર અને વૈરાગ્ય-વૃત્તિના સદાચારના ભાગે મિલનસાર અને વ્યવહારિક સદ્ગુની જમાવટ વધારે વધારે થતી થાય છે એ વાત તે સ્પષ્ટ છે. વળી સદાચાર સમજીને સદાચાર થ જોઈએ. સ્વભાવમાંથી એની મેળે ઉપજી આવતું વર્તન સદાચારી ને કહેવાય. આવા સદાચારને પ્રથમ પ્રકાર માથે પડેલા દુઃખને હિંમતથી સહન કરવું તે ઘણું કરીને હોય છે; અને તે સદાચાર જંગલીઓમાં આગળ પડતો હોય છે. તે દિશામાં માણસે ચારે પાસ ભયથી વીંટાએલા હોય છે; સમાજની વ્યવસ્થા હોતી નથી; અને લેકે લડાયક હોય છે. તેથી મોટી હિંમત અને સહનશીલતાનાં કાર્યો વારેવાર થાય છે, અને ઉન્નતિને આધાર પણ તે સમયે તેવાં કાર્યો ઉપર હેય છે. પરંતુ જેમ જેમ સમાજની વ્યવસ્થા બંધાતી જાય છે તેમ તેમ તેવાં કાર્યોના પ્રસંગ ઓછી થઈ જાય છે, તેથી તેવાં કાર્યો બહુ નથી થતાં . અને થાય તેની બહુ અસર થતી નથી. વળી જેમ જેમ સુધારે વધતે જાય છે તેમ તેમ કેની રૂચિ અને ટેવ, તેમની શાંતિ અને સુખવધે અને દુઃખ ઓછું થાય એવી અનેક નવી નવી શોધ થએલી હોવાથી, સૈનિક સદાચારથી તદ્દન ભિન્ન દિશામાં સમાજની પ્રવૃત્તિને વાળે છે અને તેથી જે કે ચારિત્રય કોમળ અને રસિક થાય છે, પરંતુ સાથે કાંઈક નિબળ પણ થતું જાય છે. વૈરાગ્યવૃત્તિ કે જેને લીધે માણસો સંસારને ત્યાગ કરી અત્યંત પવિત્ર થવા જંગલમાં તપ કરવા જાય છે તે પણ સ્વાભાવિક રીતે જ કાંઈક અશિર દશામાં જ હોઈ શકે છે, કે જે દશામાં સંસારને ત્યાગ કર સેહેલે હોય છે અને તેથી વારંવાર તે થાય છે. પરંતુ જ્યારે સમાજની સમૃદ્ધિ આબાદ હોય છે, મોજશોખ અને તેનાં સાધને પુષ્કળ હોય છે, ઔદ્યોગિક સાહસ તીવ્ર હોય છે, અને એક બીજાને સહાય કરવામાં નીકટ બંધનથી બંધાએલા લેકે હોય છે, ત્યારે જે વાતથી સમાજને લાભ થાય તે મુખ્યત્વે કરીને સદાચાર ગણાય છે અને સદાચારની તે