________________ 88 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વૃત્તિને રાજકાયદાથી મળતી કેળવણી વધારે દઢ કરે છે; કારણ કે કાયદો જો કે નૈતિક ભેદોની છાપ મન ઉપર ઉંડી પાડે છે, પરંતુ તેની સાથે તે ભેદોને બાહ્ય અને ઉપયોગિતાના ધોરણથી માપવાની ટેવ પણ લેકમાં પાડે છે. એવી સ્થિતિમાં આંતરવાદ જનહિતવાદને માર્ગ આપી દે છે, અને ઉદેશ મણી સદાચાર સાધન ગણવા લાગે છે. સામાન્ય રીતે લેકે દયાળુ અને મીલનસાર હોય છે, પરંતુ કર્તવ્યની ઉચ્ચ લાગણી અને આ દુનિયાયાના સુખ દુઃખની દરકાર ન રાખે એવી પવિત્રતા હમેશાં સુખની સ્પષ્ટ અને સીધી વૃદ્ધિ કરી શકતી નથી, અને તેથી કરીને તેમની ઉચ્ચ ગણના એવે સમયે થતી નથી. જંગલી જીવનમાં ઇદિય-લેલુપતા મુખ્ય હેવાથી આ ઉચ્ચ સદાચારને તેમાં અભાવ હોય છે. અને સૈતિક સુધારાની અત્યંત આબાદીના સમયમાં આ સદાચારને બહાર લાવી ખીલવે એવું અનુકુળ પ્રચલિત વાતાવરણ હેતું નથી અથવા તેની કિંમત તે વખત થતી નથી. તેથી આ બેની વચલી સ્થિતિમાં જ એ સદાચાર ઘણું કરીને ખીલી શકે છે. પરંતુ કેટલાક સદ્દગુણો ખાસ કરીને સુધરેલી દશાનાં જ પરિણામ હોય છે. સ્થાનિક કે કઈ ખાસ અગેની ગેરહાજરીમાં, જંગલી કે અર્ધ જંગલી દશામાંથી અત્યંત સુધરેલી દશામાં માણસને દશા–પાલ જ્યારે થાય છે ત્યારે તેની સાથે વિચાર અને રહેણી કરણીનો અમુક પાલટે પણ અવશ્ય કરીને આવે છે. પ્રથમ તો, વેરની વાજબી તૃપ્તિ પણ નાશ પામે છે અગર અંકુશમાં આવે છે. જંગલી કે અર્ધ-જંગલી દશામાં માણસે પિતાના વેરની તૃપ્તિ પિતાના જ હાથમાં રાખે છે. સુધરેલા સમાજમાં ન્યાયની અદાલતે સ્થપાય છે અને નિષ્પક્ષ ન્યાયાધીશે ગુનાને ન્યાય કરે છે. વળી સુધરેલા સમાજમાં લેકેની પ્રવૃત્તિ લડાયક મટી શાંત થાય છે, જંગલી રમત ગમતને બદલે રસિક અને બુદ્ધિને ખીલે એવા શોખની વૃદ્ધિ થાય છે, જુદાં જુદાં બંધનથી જ્ઞાતિઓ અને પ્રજાઓ ત્વરાથી સંકલિત થવા માંડે છે, અને બુદ્ધિની ખીલવણીને લીધે કલ્પના શક્તિ. દઢ અને મજબૂત થતી જાય છે. કોઈ વસ્તુને હૃદય સમ્મુખ તાદસ્ય ખડી કરી.