________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. * 85 સમયમાં ભાવ પ્રગટયો છે; તેથી તેને અનુકૂળ વ્યવહારિક ઉન્નતિ પણ થઈ છે. - જે માનસિક વલણોને લીધે અર્વાચીન સમયમાં ભૌતિક આબાદી થઈ છે અને સુધારે એક ધારાએ ચાલી રહ્યો છે તે વલણે પ્રાચીન સમયમાં વલણે કરતાં ઉત્તમ છે એ નિર્વિવાદ છે. પરંતુ આ લાભ ચારિત્ર્યની ઉચ્ચતા અને ગૌરવના કાંઈક ભોગે ખરીદાય છે એ પણ નિસંશય છે. જ્યારે માનસિક અને નૈતિક ગુણે માણસના મુખ્ય ઉદ્દેશ થાય છે, જ્યારે ઇંદ્રિયજન્ય ઉપભોગની વસ્તુઓથી માણસનાં મન અત્યંત વેગળા રહે છે, ત્યારે જ ઘણું મનુષ્યો ઉચ્ચ રીતે નીતિમાન હોય છે અને સદાચારનું ધરણ પણ અતિ ઉંચું રહે છે. બીજી બાબતની પેઠે અહીં પણ સાંગત્યના કાયદાનો અમલ સંપૂર્ણ ચાલે છે. જડ વસ્તુઓના ગુણે ઉપર જે મન ઘણું કરીને ચોંટી રહે છે તે મને ઘણું કરીને પિતાના સઘળા વિચાર ઈક્રિએ - ચિતન કરે છે તેનું વલણ ચૈતન્યવાદ તરફ હોય છે; અને નીતિના પ્રચલિત સિદ્ધાંતને આધાર આ ભેદ ઉપર બહુ રહેલો હોય છે. " પરંતુ તેમના સિદ્ધાંતમાં મતભેદ છતાં બન્ને મતના અનુયાયીઓના વ્યાવહારિક આચરણમાં ઝાઝો ફેર હોતા નથી. નીતિવેત્તાઓ કાંઈ સમાજની બહાર રહેતા નથી; અને તેથી સમાજની સામાન્ય લાગણીઓને અનુભવ તેમને પણ થાય છે, કારણ કે સમાજના વાતાવરણમાં તેઓ પણ ઉછરેલા હોય છે. નીતિના જનનને સિદ્ધાંત તેઓ ગમે તે આપે, પરંતુ સંસારમાં સદાચાર તરીકે લેખાતા આચરણને તેઓ પણ વાજબી ગણે છે, અને પિતાના સિદ્ધાંતમાંથી તે ફલિત થાય છે એમ સિદ્ધ કરવા તેઓ મથે છે. પરંતુ તેમને આ પ્રયાસ નિષ્ફળ છે એમ આગળ આપણે જોયું છે. આ બન્ને મતમાં સદાચાર તે તેને તે જ રહે છે. પરંતુ જુદા જુદા સદાચારને અપાતી અગત્યતા બને મતમાં જૂદી જૂદી છે અને નૈતિક ઉત્તમતાનાં" જુદાં જુદાં દૃષ્ટિ-બિંદુ બાંધી તેને ઉત્તેજીત કરવાનું તેઓ કહે છે. આ પ્રમાણે એંઈક મતવાળા આત્મ-સંયમને સર્વોત્તમ કહે છે અને તે મતમાં નીતિનો પ્રૌઢ ગુણો ઉપજાવવાની ખાસ અનુકૂળતા છે. હચીસની શુભેચ્છાને સર્વો