________________ 74 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એક ક્ષણ પણ તેની સામે ત્રાજવામાં બેસી શકે નહિ. વ્યવહારમાં પણ આ મતનાં પરિણામ વિચિત્ર આવશે. પ્રજાના બધા વેપારનું સત્યાનાશ વળી જતું હોય, ફળદ્રુપ પ્રાંતે લૂટાઇ જતા હોય, અને પ્રજાના હક માત્ર ડૂબી જતા હોય, તો પણ તે પ્રજાના રાજાએ વિગ્રહમાં ઉતરતાં પહેલાં ખૂબ વિચાર કરે; કારણ કે નાની સરખી લુટ કે એકાદી સ્ત્રીના પતિવ્રત્યને લગ જ તે લડાઈમાં થઈ ગયા તે તે ઉપલા બધા લાભ કરતાં વધારે મોટું સંકટ થઈ પડશે. જે ભયંકર મરકી કે દુકાળથી એક ક્ષણ પર્યત પણ જે દુરચાર અટકો હોય છે તેથી એણે ખૂશી થવું. મોટાં મોટાં શહેરો વસાવવાથી પાપની સંખ્યામાં જે એકને પણ વધારો થતો હોય તે શહેર વિસાવવામાં ભયંકર પાપ છે. આ મત પ્રમાણે શ્રમ-સાધ્ય સુધરેલી જીંદગી, રમત ગમતના મેળાવડા, લગભગ દરેક હુન્નર, અને દ્રવ્યની દરેક પ્રાપ્તિ દુષ્ટ છે, કારણ કે તેમાંથી કોઈને કોઈ પાપના પ્રસંગ ઉપજે છે, અને તેમાં લાભ તો માત્ર હિક જ હોય છે. હવે, નીતિમાં કેટલીક ખરાબી થશે એ વાત આપણે જાણતા હોઈએ છીએ છતાં તે ભેગવીને પણ માનસિક અને ભૌતિક શકિતઓને ખીલવવી એ વાત સારી છે એ માન્યતા ઉપર સુધા રાની આખી રચનાનું મંડાણ છે. કારખાનું ઉઘાડતાં તેમાંથી આગળ જતાં માણસે દારૂ પીતાં અને વ્યભિચાર કરતાં શીખશે એમ ધારીને કારખાનું ઉઘાડનાં કઈ અટકી જતું નથી. કવચિત્ નીતિના નાના ભેગ આપીને પણ સુધારામાં આપણે આગળ વધીએ છીએ. . ધર્મના આ મતને જો કે ઘણાજણ સિદ્ધાંતરૂપે માને છે, પણ વ્યવહારમાં તે પ્રમાણે અક્ષરશઃ કેઈ વર્તતું નથી, પરંતુ બીજા બધા લાભ કરતાં નૈતિક લાભની ઉત્તમતા કેટલે અંશે વધારે છે તે બાબત માણસના વ્યવહારિક મતભેદને લીધે આંતરવાદીઓના મત ઉપર ગંભીર પ્રકારને દેષ મૂકાય છે. ધર્મ-મતમાં પાપનો જે વિચાર છે તેને અત્યંત સમીપ આવે એવું વ્યવહારમાં વર્તન તપસ્વીઓનું હોય છે. તપોવૃત્તિનું મુખ્ય મંતવ્ય જ એ છે કે પાપ એ એવી તે અત્યંત ભયંકર ચીજ છે કે તેની સાથે કેઈપણ ઐહિક લાભની સરખામણી થઈ શકે નહિ. તેથી કોઈ પણ