________________ કર યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, ભે નિરપેક્ષ અને અવિકારી છે, બીજા અર્થમાં તેઓ તદન સાપેક્ષ અને વિકારી છે. કેટલાંક કૃત્યોથી આપણી નૈતિક વૃત્તિને એ તે દેખીતે અને સ્પષ્ટ આંચક લાગે છે કે આપણું નૈતિક કેળવણીની છેક પ્રથમાવસ્થામાં પણ તે દુષ્ટ અને દુરાચારી ગણાયાં છે. સત્ય અસત્યાદિ જેવા કેટલાક ભેદો સ્વભાવે જ એવા સુસ્પષ્ટ અને બળવાન હોય છે કે કેવળ ક્રમિક સદાચારોથી એમની મેળે તે જૂદા તરી આવે છે, જો કે આ બાબતમાં પણ જૂદા જૂદા જમાનામાં જુદે જુદે અંશે વ્યવહારમાં તેમનું પાલન થયું છે. પરંતુ ધર્મની આજ્ઞાઓને આધી રાખી બોલીએ તે, કાર્યોને વધારે સારા કે “વધારે ખરાબ” નહિ, પણ નિશ્ચયાત્મક રીતે વાજબી” કે “ગેરવાજબી છે એમ કહેવા માણસે જે બાહ્ય નિયમને લીધે શક્તિમાન થાય છે તે તો માત્ર સમાજનું પ્રચલિત ધોરણ જ હોય છે. પરંતુ આ ધોરણ મૅડવિલે. કહેલા ધોરણ જેવું કેવળ મનમોજી અને આપખુદ નથી હોતું, પણ આપણી નૈતિક શક્તિ કે જેને આપણા સ્વભાવને ઉચ્ચ ભાગ કહે છે. તેની કેળવણીમાં સમાજે પ્રાપ્ત કરેલું પગથીયું તે હોય છે. આ ધારણથી જે માણસ નીચો રહે છે, જે વલણ સદાચારની ઉન્નતિમાં ખાસ તત્ત્વભૂત છે તેમાં અટકાવરૂપ છે. આ રણને માત્ર સાચવીને જે બેસી રહે તે માણસની નીતિ બાહ્ય નિયમને અનુસાર તે છે જ; છતાં મને દેવતાઓ આગળ સૂચવેલા પિતાના નૈતિક વિકાસના ધોરણને અનુરૂપ તેનું વર્તન ગણાય નહિ. સમાજના ધોરણથી આગળ વધી જે માણસ ખાસ સદાચારી રહે તે પુણ્યશાળી ગણાય, પણ તેમ વર્તવામાં કાળજી ન રાખે છે. તેમાં પાપ ગણાય નહિ. ગુલામગીરી, વિગ્રહમાં પકડાએલા કેદીઓની કતલ, તરવારના પ્રાણઘાતક ખેલ, કે એક કરતાં વધારે સ્ત્રી કરવાનો રીવાજ–એ બધાં જાતે જ, અવશ્ય કરીને પાપ છે કે કેમ? એ પ્રશ્ન નકામે છે. આપણે તેમને હમણાં પાપ ભલે ગણતા હોઈએ, પણ અમુક સમયે તેમાં પાપ નહોતું ગણાતું, અને તેથી તે જમાનામાં તે આચરનારે પાપી નહોતે. સારાંશ કે શુભેચ્છાની વૃત્તિ સદા સારી જ છે; કામવૃત્તિ સદા સર્વદા નીચી છે એ પ્રતિજ્ઞા વાક્યમાં ફેરફાર કદિ થતો નથી.