________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. ઉપ પ્રકારે પાપને પિતાના જીવનમાં પેસવા ન દેવું એ તપસ્વીઓના જીવનને ખાસ ઉદેશ થાય છે. એટલા માટે છંદગીની સઘળી ચંચળ પ્રવૃત્તિથી તપસ્વી અળગો રહે છે, સઘળા સાંસારિક ઉદ્દેશ અને ઉત્કર્ષને એ ત્યાગ કરે છે, સતત દેહ-દમનથી પિતાના કુદરતી વિકારોને મંદ પાડી દે છે, અને કેવળ ધાર્મિક વિધિમાં નિમગ્ન રહેવાનો પ્રયાસ એ કરે છે. અને આ સઘળી બાબતમાં એની વર્તણુંક વાજબી અને પિતાના સિદ્ધાંતને અનુસાર છે. જે માણસને પાપની ગંભીરતાને એવો વિચાર હોય છે તે સ્વાભાવિક રીતે જ લાલચોથી બચવા બાહ્ય સંજોગેથી ગમે તે ભોગે પણ અળગા રહેશે અને પોતાના વિકારો અને વાસનાઓને મંદ કરવા અને તેટલું કરશે. પરંતુ એ બાબતમાં વધારે પડતા આગ્રહથી આપણું નૈતિક જીવન બહેર મારી જાય છે એ વાત પણ જોવાની છે; કારણ કે પાપને ઘટાડે ઘણે અગત્યનું છે એ વાત ખરી, પણ તે નૈતિક ઉન્નતિને એક ભાગ માત્ર છે. જ્યારે જ્યારે તેના એક ભાગને વધારે પડતું વજન આપવામાં આવે છે ત્યારે ત્યારે માણસાઈ મંદ, નિરૂત્સાહી અને એકદેશી થઈ જાય છે અને ગરીબાઈ કિવા બકરીળવત નરમાશ સર્વોપરી સદગુણ ગણુંવા લાગે છે. પરંતુ તાપસી આચરણ હવે ઝડપથી નાબુદ થતું જાય છે. અને એ જ વાત બતાવી આપે છે કે તેમના સિદ્ધાંતમાં સમાએલા નૈતિક વિચાર અલ્પાયુષી હતા. છતાં હજી ઘણું વ્યવહારમાં મતભિન્નત્વની મુશ્કેલી ઉભી રહે છે. કેથલિક નિશાળોનો મુખ્ય ઉદેશ પાપ અટકાવવાને ઘણું કરીને હોય છે; પણ ઈગ્લાંડની બીજી સાર્વજનિક શાળાઓને ઉદ્દેશ આપણુ દરેક શકિતને યોગ્ય વિકાસ કરવાનો હોય છે અને પાપની સંભવિતતા અટકાવવાની ખાસ સંભાળ અહીં લેવામાં આવતી નથી. વળી, ધર્મના જે અભિપ્રાયોને પોતે ખોટા માનતા હોય તે પ્રત્યે સારા માણસોનું વ્યાવહારિક વળણ પણ જુદું જુદું જોવામાં આવે છે. સુધારકે જેવા કેટલાક લેકે વેહેમી ક્રિયાને અસત્ય ગણી તેમાં ભાગ લેતા નથી, એટલું જ નહિ પણ ગમે તેટલું નુક્સાન વેઠીને પણ પિતાને મત જાહેરમાં મુકવા ચૂક્તા નથી. કેટ