________________ 81 આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. છે; કારણ કે તે સમયે તત્ત્વવેત્તાઓ યુક્તિવાદના પરિણામે સંશયવાદી થઈ ગયા હતા અને વાર ઇત્યાદિ લેખકે પ્રચલિત ધર્મ અને નીતિને કેવળ કૃત્રિમ અને વહેમી કડી તેમની હાંસી કરતા હતા, છતાં અર્ધ જંગલો ચીન અને ચીનાઓના વર્તનને યુતિસિદ્ધ અને પવિત્ર ગણતા હતા; તેથી આ લેખકેને લીધે તે લકે ભ્રમમાં પડયા હતા. પરંતુ જંગલી દશાનાં ચિત્રોને દલીલની ખાતર ખરાં માની લઈએ તે પણ પ્રતિપક્ષીને નૈતિક વિકાસની ના કહેવી છે તે વાત એમાંથી સિદ્ધ થતી નથી. આંતરવાદી ખરું કહે છે કે આપણા સ્વભાવના ઉચ્ચ અને નીચ વિભાગને તેવા રૂપે ઓળખવાની આપણામાં સ્વાભાવિક શકિત રહેલી છે. પરંતુ શારીરિક ચક્ષુની માફક આંતરિક આંખ પણ કવચિત બીડાએલી રહી શકે છે. ઇંદ્રિયજન્ય તૃપ્તિમાં માણસે નિમગ્ન રહે છે ત્યારે બેશક એમ જ થાય છે. રોપાની માફક માણસને પણ પિતાની સ્વાભાવિક શકિતઓના . સંપૂર્ણ વિકાસને માટે અનુકૂળ જમીનની જરૂર છે. તેથી અનુકૂળ સંજેગના અભાવે જંગલીઓને માનસિક કે નૈતિક વિકાસ થઈ શક ન હોય તો તેથી તે શક્તિઓ તેમનામાં મૂળે જ નથી એમ સિદ્ધ થતું નથી. તે શક્તિઓ તો ત્યાં છે જ; પણ સંજોગના અભાવે જાગ્રત થઈ શકી નથી. જંગલી દશામાં માણસો બરાબર વાંદરાની માફક જ આચરણ કરે છે એમ સિદ્ધ થાય તે પણ માણસ મટી માણસ વાંદરું થઈ શકતું નથી. તે બેમાં સ્વાભાવિક ભેદ છેઃ પિતાની શક્તિઓને વિકાસ કરવાની વાંદરામાં શક્તિ નથી, માણસમાં છે. સંજોગની અનુકૂળતાએ સુધરી જંગલી માણસ સુધરેલે અને સદાચારી થઈ શકશે, વાંદરો નહિ થઈ શકે. વડનાં પાંદડાં જેમ પથ્થરમાં દેખાતાં નથી તેમ તેના ઝીણું બીજમાં પણ દેખાતાં નથી; છતાં તે બીજમાંથી વડનું વૃક્ષ થઈ શકશે, પણ તે પથરે તે પથરો જ રહેશે. નીતિ-શાસ્ત્રના બે મુખ્ય સિદ્ધાંતને ભેદ હવે વાંચનારને સ્પષ્ટ સમજાયો હશે; અને આ બાહ્યનીતિવાદ અને આંતરનીતિવાદમાં નીતિના અનેક મતમતાંતર અંતે અંતર્ગત થઈ જાય છે. હવે, આ બે સિદ્ધાતિના પાયાભૂત તત્વજ્ઞાનમાં પણ ભેદ રહે છે. બાહ્યઅનુભવવાદીઓ કહે છે