________________ આચરણનો સ્વભાવસિદ્ધ ઈતિહાસ. તે ગયો છે, પણ એકાએક પિલિસને જોઈ બહી જાય અને ચોરી કરતાં અટકે, તો એ કત્યને માણસો નીતિમાન કહેતાં નથી. જેટલે અંશે સજા પામવાના ભયથી તે કામ કરવું એ છોડી દે, તેટલે અંશે સદાચારની શાબાશી એને ઓછી મળે છે. કર્તવ્યની લાગણીથી જ માણસે પાપમાંથી મુક્ત રહેવાનું છે. આમ સ્વાર્થ અને સદાચાર એકબીજાના વિરોધી છે એ વાત ખરી, પરંતુ એટલા માટે સ્વાર્થના વિચાર કેઈ કાળે પણ સદાચારને સહાયભૂત થઈ શકે નહિ એમ માનવામાં પણ ભૂલ છે. પ્રથમ તે, ધમકી અને સજાના સુવ્યવસ્થિત ધોરણથી સદાચારની દિશા જેવી સ્પષ્ટ થાય છે તેવી બીજી કશાથી ભાગ્યે જ થઈ શકે છે. જ્યારે સદાચાર અને દુરાચારના પ્રજને વચ્ચે અંતરમાં વિગ્રહ ચાલે છે ત્યારે ઘણીવાર દાન અને દંડના વિચારથી એ ઝઘડાને અંત આવે છે અને આપણી પ્રવૃત્તિ સદાચારમાં થાય છે. અને વિજયના આવા દરેક પ્રસંગથી સદાચાર દઢ થતું જાય છે અને દુરાચાર નિર્બળ થતા જાય છે, અને છેવટે દાન અને દંડના વિચારની સહાય વિના પણ તે સદાચાર થવાને પ્રસંગ આવે છે. સામાજીક લાભના સંબંધમાં બે ભિન્ન ભિન્ન બાબતે લક્ષમાં રાખવાની છે. એક તો, બીજાનું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત થવું એ બેશક સદાચારને એક પ્રકાર છે, પણ તેમાં જ સર્વ સદાચાર સમાઈ જતો નથી. અથવા બીજી રીતે બોલીએ તે બીજી જાતના કેટલાક સદાચાર એવા છે, કે જે લેકને ઉપયોગી હોય વા ન હોય, પણ તે જાતે જ સદાચાર છે અને તેથી કર્તવ્ય તરીકે તે આચરવાના છે. બીજી વાત એ છે કે કેટલીક વખતે ઉપયોગિતાને પ્રસંગ એવે પ્રબળ અને મહત્વનો હોય છે કે તે વખતે એવા સદાચારને પણ ભોગ આપવો વાજબી ગણાય છે. એક મોટું કારખાનું કાઢતાં છેવટે દુરાચારને કાંઇક તક મળે છે એ વાતથી એક કારખાનું કાઢતાં અટકવું નહિ. અથવા જે વાતથી અત્યંત મોટો લાભ થતું હોય તે વાત પરત્વે મંગુ રહેતાં અસત્ય ગણાતું હોય તે પણ તે કરવામાં કાંઈ અડચણ નથી; અથવા કેઈ નિર્દોષ માણસની જીંદગી બચાવવા જૂહું પણ બોલવું પડે. પરંતુ આવા કેટલાક પ્રસંગે ઉપયોગિતાને