________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 73. પરંતુ અહીં એક મુશ્કેલ પ્રશ્ન ઉભો થાય છે. આપણા સ્વભાવને. નૈતિક વિભાગ શારીરિક અને માનસિક વિભાગ કરતાં ઉત્તમ છે એમ સ્વીકા રીએ; આપણી પ્રકૃતિની રચના જ એવી છે કે તેને સંપૂર્ણ વિસ્તૃત કરવાની આપણી ફરજ છે અને એટલા માટે નૈતિક ઉદ્દેશો સર્વથી શ્રેષ્ટ છે એ વાતને આપણે સિદ્ધ સમજીએ; છતાં પ્રશ્ન એમ ઉભો થાય છે કે આપણા સ્વભાવના જુદા જુદા વિભાગોની અસમાનતા શું એવી છે કે નીતિના ડાક ભોગે પણ કેઈમેટ માનસિક કે ભૌતિક લાભ વાજબીની રાહે આપણે ન ખરીદી શકીએ? સૂક્ષ્મ વિવેકને આ માટે પ્રશ્ન છે; અને ધર્મવાદીઓ પૂછે છે કે જે ઉદ્દેશ સારે હોય તે કદિ ઉપાયો ગમે તેવા હોય તે અડચણ ખરી કે કેમ ? કેટલાક ધર્મવાદીઓને એવો મત છે કે પૃથ્વી રસાતળ જતી હોય, ગમે તેવું દુઃખ ભોગવવું પડતું હોય, તો પણ નાનામાં નાનું પાપ પણ કદિ કરવું જ નહિ. હવે, આ મતને સાક્ષાત્કાર કઈને કદિ થતો નથી: વ્યવહારમાં તેને લાગુ કરવાનું કાઈને કદિ સ્વમમાં પણ આવતું નથી: અને ખરૂં કહીએ તે, જો કે અહીં ધર્મને ઇરાદે ઘણે ઉત્તમ છે, પણ તેને અનુસાર આચરણ સુધારાના મૂળતત્ત્વનું કેવળ વિરોધી છે. આ મત કહે છે કે નાનામાં નાનું સ્પષ્ટ પાપ જાતે અને પરિણામે એટલું બધું ભયંકર હોય છે કે ગમે તેવા મોટા માનસિક કે ભૌતિક લાભથી તેને ખગ વળી શકે નહિ. જે આ વાત સાચી હોય, તો પછી સ્પષ્ટ છે કે માણસને મુખ્ય ઉદેશ કેવળ પાપ રહિત થવાને હોવો જોઈએ, અને એ ઉદેશે બધી ઈચ્છાઓને કેવળ નિર્મળ જ કરી નાખવી જોઈએ. આપણી હાજતેને પ્રદેશ વિસ્તારતાં લાલચો પણ અવશ્ય વધે છે; અને તેથી પાપની સંખ્યા, પણ વધે છે. નીતિના ધોરણમાં કદિ તેથી ઉચ્ચતા પણ આવે ખરી, કારણ કે નિરૂત્સાહી અચેત પાપરહિતતા નીતિની ઉચ્ચ અવસ્થા નથી. પરંતુ આ ધર્મવાદીઓ કહે છે તેમ દરેક પાપ જે નિરંતર વેદનાને લાયકનું જ હોય અને એવું ભયંકર હોય કે તેની આગળ દુનિયાના નાશને પણ હિસાબ નથી, તે પછી નૈતિક લાભો પણ તેની બરાબરી બિલકુલ કરી શકે નહિ. નૈતિક વૃત્તિની ગમે તેટલી ઉચ્ચતા, ભક્તિને ગમે તે જુસ્સો કે ઉડાણ, .