________________ યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. લાંક માણસને પિતાને તેમાં બિલકુલ શ્રદ્ધા હોતી નથી; છતાં પોતે તે ક્રિયા કરે છે અને તેની વિરૂદ્ધ બોલનારાને સખત રીતે વખોડે છે. કારણ કે તેમના મત પ્રમાણે ભ્રમથી પણ માણસને જે દીલાસે મળતા હોય તો. તે ભ્રમ ભાંગ નહિ. કેટલાક વળી પિતે તે ક્રિયા કરતા નથી, પણ લેકેનાં અશિક્ષિત મનને સમજાવી તૈયાર કરી સુધારવાની વાતને પસંદ કરે છે, અને સજજન સંભળાવજોરે ધીરે ધીરે સુધારાને સાર’ એ સૂત્ર વ્યવહારમાં સ્વીકારે છે. બાળ-લગ્નની બાબતમાં પણ મતભિન્નત્વ જોવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે સુખના ધોરણની પાયરી ઉતારવાથી ભતિક આબાદી ઘટે છે; માટે બાળ લગ્ન ન કરવાં. કેથલિક ગુરૂઓ કહે છે કે માણસને મેટે ભાગ ડહાપણના ઉશે લગ્ન મેડાં કરે તો પાપ વધે, માટે બાળલગ્ન કરવાં. વળી કેટલાક પથમાં કેવળ નિર્દોષ આનંદમાં ભાગ લેવાની પણ બંધી છે, કારણ કે તેમાંથી પાપ અથવા પાપના પ્રસંગ ઉપજી આવે છે. કેટલાક વળી પ્રસંગે પ્રસંગે આનંદોત્સવ કરે છે. કેઈની વૃત્તિ જાણી જોઈને પાપમાં પ્રવૃત્ત થવાની હોતી નથી, તેથી આ મત ભિન્નત્વમાં સિદ્ધાંતને ભેદ નથી પણ વધતા ઓછા સદાચારને ભેદ હોય છે. એક કહે છે કે ગમે તે રીતે પણ પાપ અટકાવવું. બીજે કહે છે કે પાપની હદ ઓળંગ્યા સિવાય નિર્દોષ રમત ગમતે શા માટે ન કરવી ? પણ આ હદ બાંધવી કયાં? તેમાં પણ ઘણું કમવાર પગથી હોય છે. અને કાયદા, ધારા, અને નાતના રીવાજ પરત્વે માણસે તેમના ગુણ દોષ વિષે અનેક: પ્રશ્ન ઉભા કરે છે. પ્રશ્ન એ થાય છે કે એવી બાબતમાં સારા નરસાની ' સ્પષ્ટ લીટી કયાં દેરવી? અમુક હદ પયેત નિર્દોષ ગમતમાં પાપ નથી, અને પછી તેમાં પાપ થાય છે એ પ્રશ્નને નિર્ણય કયા નિયમને આધારે આપણે કરવો ? આ પ્રશ્નના જવાબમાં તરવાદીને કબુલ કરવું પડે છે કે એવી કાઈ લીટી દોરી શકાય એમ નથી; એવો નિયમ કઈ છે જ નહિ. આપણા નૈતિક સ્વભાવમાં રૂપિ ભાષાથી સ્પષ્ટ કરી ભાગ્યે જ સમજાવી શકાય છે. એવી અગમ્ય રીતે તેઓ એક બીજામાં ભળી જાય છે કે તેમાંથી કોઈ