________________ 70 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ત્રતાનું ભાન દરેક ધર્મમાં અને દરેક જમાનામાં ઉપજેલું છે. ચીન દેશના પુરાણમાં એક કથા એવી છે કે જ્યારે આદિકાળમાં આ પૃથ્વી ઉપર એક જ પુરૂષ અને એક જ સ્ત્રી હતાં ત્યારે વસ્તીની વૃદ્ધિ કરવા અર્થે પણ તે સ્ત્રીએ પિતાનું કુમારિકા ત્રત ખંડિત કરવાની ના પાડી, અને તેની વિશુદ્ધિથી ખુશી થઈ દેવોએ તેને વરદાન આપ્યું કે તેના આશકના માત્ર દૃષ્ટિપાતથી જ તે ગર્ભ ધારણ કરી શકશે અને આમ કુંવારી માતા મનુષ્ય જાતની જનેતા થઈ. વિલાસી ગ્રીક પ્રજામાં પણ એથીન આદિ દેવીઓની વિશુદ્ધિમાં ઉત્તમ સદાચાર ગણાતે હતો. કેટલાક ધર્મોમાં આચાર્યોને પરણવાની મનાઈ હોય છે અને કેટલીક સ્ત્રીઓને ધર્મ–સેવા અર્થ કુંવારા રહેવાનું હોય છે. પ્લેટો આપણું સ્વભાવના બે વિભાગ પાડે છે-વિવેકી અને કામાસક્ત. તેમાં પ્રથમ ઉચ્ચ છે અને બીજે નીચ છે; અને આ ભેદ ઉપર તેના નીતિશાસ્ત્રનું મંડાણ છે. પિથાગેરાસની શાળામાં બ્રહ્મચર્ય મુખ્ય સિદ્ધાંત છે અને તેના અનુયાયીઓએ માની સંસ્થા સ્થાપવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બ્રહ્મચર્ય સતત સાચવવા માણસે સખત જીવન જીવ્યાં છે. આપણું અને આ વાત સમજાવવી પડે તેમ નથી. ધર્મની ઘણી ક્રિયાઓમાં અમુક મુદત પર્યત બ્રહ્મચર્ય પાળવું પડે છે. જૈન લેકે એને ચોથું વ્રત કહે છે અને હાલ પણ ઘણું જેની એ અમુક મુદતને માટે તે વ્રત લે છે. આવાં વ્રતધારી પુરૂષોનાં વખાણ ખુટા બહુ કરે છે. લગ્નની પવિત્ર અંદગીને રોમન લેકે પૂજતા હતા. છતાં રેમમાં જ દેવી-પૂજારણ (Westal Virgins) ને એક ખાસ વર્ગ ઉભે થયે હતિ. આવી પૂજારણે કુંવારી રહેતી હતી અને તેઓ બહુ પ્રતિષ્ઠિત ગણાતી હતી. તેમની પ્રાર્થનાઓ ચમત્કારિક લેખાતી અને દેશની આબાદીને સંબધ પણ તેમની સાથે કપાતે હતે. શહેનશાહબાનુથી પણ વિશેષ હક તેને મળતા. પરંતુ પિતાના વતન જરીક ભંગ તેઓ કરે તો ભયંકર શિક્ષા તેને થતી. દરેક દેશના પુરાણ, કથા અને ઈતિહાસમાં સ્ત્રીની પવિત્રતાને પ્રભાવ વાવેલો છે. ઈશુ ખ્રિસ્તની મા કુંવારી હતી. કેથેલિક ધર્મના મહની સંસ્થાથી ઘણા પ્રકારનાં નુકસાન થયાં છે એ