________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ભિન્નભિન્ન હોવાને લીધે નીતિમાં ઉન્નતિનો ક્રમ બની શકે છે. અર્થાત, સિદ્ધાંતની એકતા છતાં ધોરણોની વિચિત્રતાને લીધે નીતિમાં ઉત્તરોત્તર ઉન્નતિ બની શકે છે. બીજી વાત એ છે કે જે કે સઘળા સદાચારનું ઉપયોગિતામાં પર્યવસાન આંતરવાદી કરતા નથી, તે પણ પરે પકારમાં સદીચાર છે એ વાત જનહિતવાદીની પેઠે તે પણ સ્વીકારે છે. અને તેથી કરીને જે જે શોધોથી મનુષ્ય જાતનું ખરેખરૂં કલ્યાણ થાય છે તે તે શોધોને લીધે આપણુ કરૂંવ્યના વિચાર ઉપર નવી જાતનું અજવાળું પડે છે. પતિવ્રત્યનો ઈતિહાસ તપાસતાં નૈતિક ઉન્નતિ કેવી રીતે થઈ શકે છે તેને ખ્યાલ આવશે. જ્યારે માણસના વિકારો તદ્દન નિરંકુશ હોય છે ત્યારે સ્ત્રીઓને સામાન્ય ભોગવટો અને કામાસક્તિના સઘળા વિલક્ષણ પ્રકાર . સ્વીકારી લેશે. આ બાબતમાં જ્યારે લોક પિતાની પ્રકૃતિ સુધારવાને પ્રયાસ આદરે છે, ત્યારે પ્રથમ તેઓ કામાસતિના રાજ્યને ટૂંકી કરી તેની હદ બાંધશે. પરંતુ સુધારાની આ ક્રિયા અમુક હદ સુધી જ વધી શકે એ સ્પષ્ટ છે. પ્રથમ તે મનુષ્ય જાતને નાબુદ ને કરવી હોય તો કામ-વૃત્તિ સંસારમાં રહેવી જોઈએ. વળી આ વિકારની પ્રબળતા અને મનુષ્યની નિર્બળતા એટલી બધી છે કે સઘળી પ્રજાઓમાં અને વિશેષે કરીને જ્યાં આ વિકારને નિરંકુશ સ્વતંત્રતા લાંબા વખત સુધી મળેલી હોય છે ત્યાં કામ–તૃપ્તિને મોટો ભાગ સંતતિ ઉપજાવવાના શુદ્ધ વિચારને લઈને થતો નથી એ વાત નીતિશાસ્ત્રવેત્તાએ લક્ષમાં લેવાની છે. તેથી જે ગેત્ર–ગમન બંધ થાય અને સ્ત્રીને સામાન્ય મિલકત ગણવાના રીવાજને બદલે ઝાઝી સ્ત્રી કરવાનો રીવાજ પડે, તો તેટલે અંશે નૈતિક ઉન્નતિ થઈ ગણાય અને નીતિનું અમૂક ધોરણ રચાયું કહેવાય. આમ એક વખત ધોરણ રચાયા પછી તે ધોરણ આગળ ઉંચું ઉંચું થતું જાય છે. યાહુદીના કાયદા જોઈએ તે તેમાં વ્યભિચારની મનાઈ છે અને લગ્નના રીવાજો નિયમિત થયા છે, પણ ઝાઝી સ્ત્રી કરવાની સ્વતંત્રતા તેમનામાં આપી જણાય છે. શ્રીક લેકેમાં એક જ સ્ત્રી કરવાને રીવાજ હત; પણ તેમાં અપવાદ ઘણા રહેતા અને કેટલાક પ્રતિકૂળ સંજેગિને લીધે અન્ય દુરાચાર વધી ગયો હતે. રેમમાં એ ધરણુ ઘણુ ઉંચી