________________ * * * * * * * યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ના અંશે એક બીજાના વિરોધી પણ લાગે. નીતિના કાયદાને અનુકૂળ ન હોય એવાં કાર્યોથી અદશ્ય દેવદેવીઓની કૃપા મેળવવાનું કઈ મતમતાંતરમાં કદાચ કહ્યું પણ હેય. જુદાં જુદાં પ્રયોજનના મિશ્રણને લીધે કે ખાસ સંજોગોને લઈને નૈતિક ઉન્નતિને માર્ગ અસ્પષ્ટ અને ગુંચવણ ભરેલે પણ વખતે થઈ જાય. આ બધું બને તેવું છે; છતાં એક મહાન સત્યનો એ બધાની ઉપર અમલ છે એ વાત નિર્વિવાદ છે. જૂઠું બોલવાથી, બીજાનું બુરું ઈચ્છવાથી કે દાંપત્ય-તને ભંગ કરવાથી પિતાનું આચરણ ઉંચા પ્રકારનું થાય છે એમ કે માનતું નથી. જેને આચરણની પવિત્રતા પ્રાપ્ત કરવી હોય તેણે તે સારી વૃત્તિઓનું સેવન કરવું જ પડે છે. આમ આંતર પ્રત્યક્ષથી નીતિના સામાન્ય નિયમ પ્રતીત થતા હોવાથી, જૂદા જૂદા જમાનામાં નૈતિક ધરણની કે કાર્યોની એકતા હોતી નથી; છતાં તેમનું વલણ એક જ દિશામાં હોય છે એ વાત સ્પષ્ટ છે. જન્મથીજ સારી વૃત્તિઓ કરતાં સ્વાર્થી વૃત્તિઓનું જે માણસમાં વધારે હોય છે. આ ક્રમને ઉલટાવી નાખવાનું કર્તવ્ય નીતિનું છે. જન-સ્વભાવમાંથી સ્વાર્થ તદન નાબુદ થવે તે અશક્ય છે, અને બધા નિઃસ્વાર્થી થાય તે સમાજ ટકે પણ નહિ. પરંતુ આ અંશોનું મિશ્રણ કેવું હોવું જોઈએ? એ જ પ્રશ્ન નીતિને હોય છે. એક સમયે શુભેચ્છાની વૃત્તિ કેવળ કુટુંબ પ્રત્યે જ રમતી હોય છે; પછી તે જ્ઞાતિ, પ્રજા અને મનુષ્ય જાત પ્રત્યે પણ વિસ્તરે છે; અને છેવટે મૂંગા અને અવાચક પ્રાણીઓ પર્યત પહોંચે છે. આ દરેક દશામાં નીતિનું જુદું જુદું ધોરણ રચાય છે, પરંતુ દરેકમાં એક જ વલણને સદાચાર તરીકે ઓળખવામાં આવે છે. આ એક સાદી હકીકતથી આંતરવાદ ઉપર થતા અનેક આક્ષેપને પરિહાર થઈ જાય છે. જંગલી લેકે પિતાના માબાપને મારી નાખે છે, સુધરેલી પ્રજાઓએ પણ બાળહત્યાને રીવાજ નિઃશક મને સ્વીકારે છે, ઉચ્ચ આચરણવાળા કઈ રોમનને પણ તરવારના પ્રાણઘાતક ખેલમાં કાંઈ દુચાર લાગે નહિ, રાજકીય કે કિનાર કતલમાં કાંઈ પાપ હોય એવું જમાનાને જમાના સુધી મનુષ્યને સમજાયું નહિ, કઈ જમાનામાં ગુલામ