________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. નિશ્ચિત થવું જોઈએ, અને ભ્રષ્ટ અવયવને પિતાની મૂળ સ્થિતિએ પાછો લાવવા માટે લાંબો વખત પરિશ્રમ કરવાની જરૂર છે. અમુક અમુક પ્રશ્નોને નિર્ણય આપણે યુક્તિથી કરીએ તે ભલે, પણ યુક્તિને ઇન્સાફ આંતર-પ્રત્યક્ષથી જણાતા કેટલાક નીતિના નિયમોને આધારે જ થાય છે. લેકે ધારે છે કે આંતરવાદીઓના મત પ્રમાણે સેક્રેટિસનાં ભૂતની પિઠે આપણામાં પણ મનદેવતા' નામની કોઈ અનિચ્ચ વ્યક્તિ રહેલી છે અને પ્રસંગે પ્રસંગે આપણને ખાસ અને અચૂક માહીતિ તે આપે છે. પરંતુ આમ માનવામાં પણ ભૂલ છે. આંતરવાદિઓ તે એટલું જ કહે છે કે માત્ર સુખ દુઃખના કાયદાથી જ આપણી ઈચ્છા-શક્તિનું નિયમન થતું નથી, પણ કર્તવ્યના કાયદાથી પણ થાય છે. આ કર્તવ્યનો કાયદો સુખ દુઃખના કાયદાથી ભિન્ન છે અને નૈતિક બંધન પણ તેનું જ છે એમ આપણને અંતરમાં લાગે છે. બીજી વાત એ છે કે આપણા હૃદયમાં જે જે વિકાર કે વૃત્તિઓ ઉઠે તેમાંથી કેટલીક અવશ્ય કરીને સારી છે અને તેમને ઉત્તેજીત કરવી જોઈએ અને કેટલીક અવશ્ય કરીને દુષ્ટ છે અને તેમને દાબી દેવી જોઈએ એવું સહજ ભાન આપણને અંતરમાં જ થાય છે તે આપણા કર્તવ્યના વિચારને પાયો છે. તેઓ કહે છે કે દ્વેષથી શુભેચ્છા, અસત્યથી સત્ય, અન્યાયથી ન્યાય, અપકારથી ઉપકાર, ઈકિયજન્ય વિલાસથી પાતિવ્રત્ય, ચડીઆમાં છે એવું આપણને અંતરમાં થતું ભાન માનસ શાસ્ત્રની વાસ્તવિક હકીકત છે; અને સઘળા જમાનામાં અને સઘળા દેશમાં નીતિને માર્ગ ઉચ્ચ વૃત્તિઓના વર્તનમાં રહેલું હોય છે, નીચ વૃત્તિઓના વર્તનમાં નથી હોતો. કર્તવ્યનું ભાન એવું નિર્બળ હોય કે તે જણાય પણ નહિ, અને તેથી આપણે સ્વભાવને નીચ ભાગ ઉપરી થઈ બેસે એવું પણ કદિ બને. ગ્રીક લેકેએ બુદ્ધિવિષયક અને રાજદ્વારી સદાચાર ખીલવવાનો જ પ્રયાસ કર્યો હતો અને દાંપત્ય-ધર્મને લગભગ વિસારી * મૂકે હ; આમ કેટલાક જમાનામાં લેકે અમુક બાબતમાં જ પિતાની નીતિ ઉચ્ચ કરવાની કાળજી રાખે એમ પણ બને. કોઈ વખતે ન્યાયની તીવ્ર લાગણી શુભેચ્છાને અંકુશમાં રાખે છે તેમ, વખતે આપણું સ્વભાવ