________________ યૂરેપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગુનાની દુષ્ટતા અને તેનાથી થતું નુકસાન મોટામાં મેટું હોય ત્યાં ગુનેગારને મોટામાં મોટી શિક્ષા થવી વાજબી છે. ખુન એવી જાતને ગુને હોવાથી ખુનીને ફાંસીની સજા થાય તે ય જ છે; અને તેવી સજા કરનારમાં નૈતિક તત્વનું અસ્તિત્વ જ નથી એમ કાઈ કહેશે નહિ. આ ન્યાયે અમુક મત માનનારે પાપી છે અને પિતાનો મત ફેલાવવા એ જીવતા રહે તે માણસ જાતની મોટામાં મોટી ખરાબી થાય એમ જ્યારે કેથલિકે માનવા લાગ્યા ત્યારે પાખંડીઓને મારી નાંખવામાં પાપ નથી એ વાત સ્પષ્ટ થઈ. આમ પિતાને ધર્મ કદિ જૂઠો હોય જ નહિ એ દઢ વિશ્વાસ, અને ભૂલને ગુને ગણવાને તેમનો મત–આ બે વાતથી તેમના ધાર્મિક જુલમને ખુલાસો થઈ શકે છે. આમ જે ધર્મને પિતાના મતને આગ્રહ હોય અને ભાવિ દાન અને દંડ ઉપર જેનો નિભાવ હોય તે ધર્મ નીતિના એવા કાયદાને ઉપદેશ આપે કે જેથી મનદેવતાને માન્ય રહેવું પડે કે દબાઈ જાય, અને કદિ અવળે માર્ગ પણ દોરાય. જે ધર્મગુરૂઓ આપણને નિરંતર એમજ કહ્યા કરે કે ધર્મની વાતમાં કોઈ પ્રશ્ન કે શંકાજ ઉઠાવવી નહિ, પણ ધર્મ જે કહે તે મૂંગે મેંઢ માની જ લેવું, તે ધીમે ધીમે આપણી માનસિક ટેવો એવી પડશે કે પછી નિષ્પક્ષ અને પ્રમાણિક વિચાર સાંભળતાં પણ આપણને કંપારી છૂટશે. એવી જ રીતે જે કઈ માણસ પોતાના કર્તવ્યનો નિરતર ભંગ જ કર્યા કરે છે અને કર્તવ્યની લાગણી જ એનામાં રહેશે નહિ. પરંતુ નીતિની ઉહાપોહમાં આ એક મોટી મુશ્કેલી જો કે છે, તથાપિ તેથી કરીને નૈતિક પ્રત્યક્ષની વાસ્તવિકતા મટી જતી નથી, કારણ કે જેના સ્વાધીનમાં આપણા સ્વભાવની શક્તિઓ રહેલી છે એ તે કાયદો જ છે. બુદ્ધિની ખરાબ કેળવણીથી જ્ઞાન અપૂર્ણ અને ભ્રમજનક થશે એટલું જ નહિ પણ બુદ્ધિનું વલણ પણ ભ્રષ્ટ થઈ જાય છે. રસિકતાની ખરાબ કેળવણીથી બોટા નિયમ બંધાઈ જાય છે. હમેશના દુરૂપયોગથી કેટલાંક ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષ પણ દૂષિત અને ભ્રષ્ટ થઈ જાય છે. આ દરેક બાબતમાં ખરાખોટાનું ધોરણ જુદી જાદી અવસ્થાના અનેક માણસના અનુભવના આધારે