________________ કર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પ્રેરાઈ કે અન્યાય સહન ન થવાથી કંઈ ગરીબ કે ગામડીઓ એકાદી લટકે ખૂન કરે તે તેના ઉપર આપણને તિરસ્કાર ઉપજે છે. પરંતુ માત્ર આપવડાઈ કે કીર્તિની ખાતર, અથવા જમીનના લેભથી લેભાઈ, હજારેને મરાવી હજરોને રડાવતા અને અનેક વિધ દુ:ખ ઉપજાવતા વિજેતાઓ પ્રત્યે માણસો ભાવ અને ભક્તિ બતાવે એના જેવી નીતિની બાબતમાં બીજી એક વિચિત્રતા નથી. જે અગાધ બુદ્ધિ અને સત્તાનું માપ સામાન્ય લેકે લૈતિક ફળોથા જ કરે છે તે બુદ્ધિ અને સત્તાનું આકર્ષણ, પિતાની પ્રજાને જે લાભ વિજેતા મેળવી આપે છે તે, લડાઈને પરિણામમાં દેવની દરમ્યાનગીરી હોવાથી વિજય એ દૈવીકૃપાની સાબીતિ છે એવી માન્યતા, અને રાજસત્તાને અપાતી પવિત્રતા,–આ બધાં વિજેતાની કારકીર્દીની કુરતાને બેશક છાવરી રાખે છે; પરંતુ કદાચ આથી પણ વધારે ઉંડું કારણ તેમાં રહેલું છે. લડાઈની અનેક દુર્દશા છતાં નીતિનું એક પ્રૌટ તત્ત્વ તેમાં રહેલું છે. તેમાં ઉત્કટ આત્મ–ભોગ બહાર ખીલી નીકળે છે. અને નિઃસ્વાર્થી ઉત્સાહને તેમાં ઘણું જ અવકાશ રહે છે. હજારેએ પિતાના દેશ કે રાજાને માટે પિતાના લેહીનું બલિદાન આપ્યું છે અને આપણે પણ તેમજ કરવાનું છે એવો વિચાર લડાઈને વખતે શૂરવીર સીપાઈઓમાં બહાર તરી આવે છે. પણ જેમ સાકાર મૂર્તિ વિના કેટલાકની ઈશ્વર-ભાવના ટકી શકતી નથી તેમ આ ઉત્સાહની લાગણીને ટકાવી રાખવા માટે કઈ દષ્ટાંતભૂત પુરૂષની જરૂર રહે છે. અપ્રસિદ્ધ સામાન્ય સિપાઈઓનાં નામ કલ્પના. ઉપર અસર કરતાં નથી, અને તેથી બીજાની નજર તેમના ઉપર કરતી નથી. પરંતુ રાજા કે સેનાપતિ માટે અને આગેવાન હોવાથી આત્મભોગની પ્રત્યક્ષ મૂર્તિ લેખાય છે અને પૂજાય છે. અને પછી એ જ માણસ શોધી શોધીને પોતાને સ્વાર્થ સાધવા તત્પર રહે છે. આમ પ્રારબ્ધની ઘર વક્રોક્તિરૂપ વિચાર-સાહચર્યની ગુંચવણ તે જુઓ, કે હજારો માણુ સની આત્મ-ભોગની વૃત્તિથી બહાર નીકળેલે નૈતિક ઉત્સાહ, જે માણસની અપૂર્વ અહંતા મમતાને લીધે જ તે આત્મભોગ આવશ્યક થાય છે તે જ માણસની આસપાસ પવિત્ર પ્રકાશનું કુંડાળું કરી આપે છે.