________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 61 વળી ધર્મની આજ્ઞાને આધારે મનાયેલાં કર્તવ્ય અને મનોદેવતાનાં ફરમાનરૂપ કર્તવ્યમાં મોટો ફેર છે એ વાત પણ લક્ષમાં રાખવાની છે. જન્માષ્ટમી કે ભીમ અગીઆરસનો અપવાસ ન કરે, અથવા અમાસ બારસે બ્રાહ્મણને સીધું ન પૂરવું એમાં જે પાપ હોય તો તેને આધાર, જૂડ, ચેરી, ખૂન અને વ્યભિચારના પાપના આધાર કરતાં તદન ભિન્ન છે. પ્રથમ જાતનાં પાપ પ્રત્યે મને દેવતાના ઠપકા શરત-વાચક જ હોય છે, કારણકે, તે આજ્ઞાઓને તાબે રહેવાનું મન દેવતા ફરમાવે છે, પણ તે આજ્ઞાઓ કઈ ? એ પ્રશ્નનું નિરાકરણ વિવેકબુદ્ધિને તે સેંપી દે છે. આમ આ બન્ને જાતનાં કર્તવ્યમાં ફેર છે એ વાત જરીક વિભરવાથી સહેજે સમજાય છે, અને તેમની સાપેક્ષ અગત્યતા બાબત જે મતભિન્નત્વ જોવામાં આવે છે તેમનું ખ્યાન કરવું એ ધાર્મિક ઈતિહાસનું કામ છે.. વળી પરાપૂર્વથી ચાલ્યો આવતે રીવાજ વખત જતાં ધર્મનું રૂપ ધારણ કરે છે અને તેથી તેનું ખરું કારણ વીસરી જઇ કેવળ ધર્મને નામે લેકે તેને વ્યવહાર કરે છે. દાખલા તરીકે, રમવા પ્રજાસત્તાક રાજ્યમાં સ્ત્રીઓની વિશુદ્ધિ સાચવવાને અર્થે સ્ત્રીઓએ દારૂ ચાખ પણ નહિ એવો કાયદે કરવામાં આવ્યો હતો. આ કારણ સમજાય તેવું છે. પરંતુ કેળવણી, ટેવ અને પરંપરા ચાલી આવતી પૂજ્યબુદ્ધિને લીધે લેકની વૃત્તિમાં એવો તે ઓતપ્રેત એ થઈ ગયો કે પછી તેના ભંગમાં એક રાક્ષસી ગુને થતો ગણાવા લાગે. અને લજજા અને પતિવ્રત્યને માટે પ્રસિદ્ધ એવી એક સ્ત્રીને દારૂ પીવાના વાંક માટે તેના ધણીએ કેરડા મારી મારીને મારી નાખ્યાને દાખલા પણ તેમના ઈતિહાસમાંથી મળી આવે છે. આમ મૂળ સાદા વિચારમાં બીજા વિચારે ધીમે ધીમે ભળી જાય છે અને તેથી માણસેના નૈતિક વિચાર પણ રૂપાંતર પામે છે. મૂળ વિચાર પાછો જ્યારે ખરા સ્વરૂપે સમજાવા લાગે છે, ત્યારે નૈતિક વિચાર પણ પાછે યથાયોગ્ય થઈ જાય છે. પરાક્રમી વિજેતાઓ પ્રત્યે માણસોને જે ભાવ અને ભક્તિ ઉપજે છે તેમાં પણ વિચાર–સાહચર્યની જ આવી ગડબડ હોય છે. ભુખના દુઃખથી