________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કહેવો જોઈએ. પણ આપણે અનુભવ તેથી ઉલ્ટેજ કહે છે. ઢીંગલા ઢીંગલીની રમતમાંથી બાળકને થતો આનંદ અતિ ઉત્કટ અને સંપૂર્ણ હોય છે. અશક્ષિત ગામડીઓ કેવળ અણઘડ વાર્તાથી કે હલકી મજાકથી ખુશ ખુશ થઈ જાય છે. કેળવાએલ માણસ આવા આનંદ પ્રત્યે ના પસંદ નજરથી જુએ છે, કારણ કે એને શ્રમ-સિદ્ધ વસ્તુઓમાંથી આનંદ મળે છે. મેટી ઉમરના માણસમાં છોકરવાદી જોઈ, આપણે તેની અવગણના કરીએ છીએ. કેટલીક રમુજમાંથી આનંદ મેળવવાની વાત જ આપણુમાં શરમની લાગણી ઉપજાવે છે, કારણ કે આપણા સ્વભાવની ઉત્તમતાને યોગ્ય એ નથી લાગતી. સમાજ પરત્વે પણ આ વાત સાચી છે. આનંદની પ્રબળતાથી તેની ઉચ્ચતાનું માપ થતું નથી. અધ-જંગલીઓને આનંદની પ્રાપ્તિ સુધરેલા માણસે કરતાં ઓછી થાય છે એમ ખાત્રી પૂર્વક કહી શકાતું નથી. અસં. સ્કારી જન ખસુસ કરીને દુઃખી હોવજ જોઈએ એવો કોઈ નિયમ નથી. અને જેકે સુખનું બરાબર માપ કરવાનું સાધન આપણી પાસે નથી, તો પણ આપણને એટલી તે ખાત્રી થાય છે કે આબાદીના પ્રમાણ સાથે સુખની રાશ મળતી આવતી નથી. પછાત જમાનામાં માણસોની ટેવ અને રૂચિ થડાક આનંદના ટુંકા ક્ષેત્રની અનુકૂળતા સ્વીકારી લે છે અને તેમાંથી કદાચ સુધરેલા જમાનાના બહોળા સાહિત્યના જેટલેજ આનંદ તેમને પણ મળતું હોય. અશિક્ષિત દશામાં આનંદના સાધનો ડાં હોવાથી માણસને તેમનો કંટાળે જરા વધારે આવશે એમ જે તમે કહેતા હે તે સુધરેલી દશામાં અસંતોષની ફિકર બહુ વધી જાય છે એ વાત પણ તમારે ધ્યાનમાં રાખવી. છતાં અત્યંત સુધરેલે માણસ વધારે ઉચ્ચ દશાને પ્રાપ્ત થયા છે એ વાતની ના કાઈ કહેતું નથી, કારણ કે પોતાના જીવનને વધારે સાર્થક એણે કર્યું છે અને પિતાની શક્તિઓના મોટા ભાગને જાગ્રત કરી એ વાપરવા લાગ્યો છે. અને મનુષ્યજીવનને ઉદ્દેશ એજ છે. માણસ કરતાં પશુદિ વધારે સુખી હેય, અને એ વાત અસંભવિત નથી, અને સુધરેલા કરતાં અર્ધજંગલી કદિ વધારે સુખીઓ હોય, તે પણ પશુ થવા કરત માણસ થવું વધારે છે : છે અને સાહસ અને જ્ઞાનના ઝરાથી કેવળ