________________ 58 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ રિકને માણસ જાતના સુખને માટે વિશેષ કર્યું હોય એ સંભવિત છે. નૈતિક કારણે મનુષ્યોને ધીરજ અને સહનશીલતા શીખવે છે અથવા તેથી મનની વેદના કદાચ ઓછી થાય છે, પરંતુ શારીરિક કારણોથી વખતે માણસને સ્વભાવ એવો બદલાઈ જાય છે કે પછી ઘણાંખરાં દુઃખો તેને લગભગ સ્પર્શતાં નથી. એક પ્રાચીન પુરૂષે કહ્યું છે કે તત્વજ્ઞાન માણસને મરતાં શીખવે છે. પરંતુ અનેક રણસંગ્રામમાં, ફાંસીના અનેક લાકડાં ઉપર, અને ચીન અને હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા પર્વત, એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે ભાન વિનાને એદી અને પાશવ વૃત્તિવાળો માણસ તત્ત્વનાની કરતાં વિશેષ શાંતિથી તને બેદરકાર રહી શકે છે. ખરી વાત એમ છે કે આપણા સ્વભાવનો માનસિક વિભાગ શારીરિક કિંવા ઈદ્રિયવિભાગ કરતાં ઉત્તમ છે તે એટલા માટે નહિ કે આપણું સુખને એ અત્યંત ઉપકારક છે. તેની ઉત્તમતા જૂદા જ પ્રકારની છે. ઉચ્ચ હોવાથી તે ઉચ્ચ છે. અને આપણી નૈતિક વૃત્તિઓની તૃપ્તિથી જે આનંદ આપણને થાય છે તે આનંદને વાસ્તવિક રીતે જ આપણે પ્રથમ પદવી આપીએ છીએ લસબસતા લાડ ખાતાં જે આનંદ થાય તે આનંદને ગમે તેવડે ગુણાકાર કરે, પણ તે આનંદ એક ઉદાર કાર્યના આનંદની બરાબરી કદિ પણ કરી શકશે નહિ એ વાત મનુષ્યના મેટા ભાગને ઘણું કરીને સ્પષ્ટ જ છે. આનંદ આનંદમાં રહેલા આ વાસ્તવિક ભેદની ઘણું ખરા જનહિતવાદીઓ ના કહે છે, અને જે કે તેના કેટલાક અનુયાયીઓએ પિતાના મતની વ્યવસ્થા કરવામાં એ વાતને ઘુસાડી દેવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમના સિદ્ધાંતમાં એ વાત અસંગત છે એ સ્પષ્ટ જ છે. આ ભેદ વાસ્તવિક છે એમ જે સ્વીકારવામાં આવે છે તેથી એમ જ સિદ્ધ થાય કે આપણી ઇચ્છાશક્તિને જે વસ્તુઓથી વધારેમાં વધારે સુખ મળે તેમના પ્રત્યે ખેચાવાની તેને આવશ્યકતા રહેતી નથી; એટલું જ નહિ પણ કોઈ આનંદની ઉગ્રતા કે નીચતા ઓળખવાની, અને સુખને લીધે નહિ પણ તે