________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 55. છે તે તે વાત ખોટી છે, કારણ કે ઘણા પ્રસંગે આ પ્રમાણતા હોતી નથી. આ બેની સરખામણીમાં કાંઈક એવું તત્ત્વ રહેલું છે કે જે તેમની પ્રબળતા, કાળમાન, અને પરિણામેની ગણત્રીથી તદન ભિન્ન છે એવું ભાન આપણને બધાને થાય છે. સ્વાભાવિક રીતે જ એકમાં આપણને કાંઈક શરમ અને બીજામાં શભા લાગે છે. સારું સારું ખાવાના શોખવાળા માણસને આપણે કાંઈક તુચ્છ ગણીએ છીએ. પિતાને ખાવાનો શોખ છે એમ બેલતાં માણસ લજવાશે, પણ સંગીતનો શોખ સ્વીકારતાં કશી આનાકાની તેને થતી નથી. અર્થાત ખાવાને શોખ નીચે છે, સંગીતને ઉંચો છે. વળી એક કેળવાએલા પણ ઝાઝી ચાપાચીપ વિનાના આનંદી માણસને નાટકના તખતા ઉપર ફારસ જોતાં વધારે અમિશ્રિત અને પ્રબળ આનંદ થાય છે. પરંતુ કેઈ સારું કરૂણ રસ પ્રધાન નાટક જોતાં આનંદની સાથે વૃત્તિઓની શિથિલતા અને એક પ્રકારનું દુઃખ તે અનુભવે છે. છતાં તે ફારસ કરતાં તે નાટકને આનંદ ઉચા પ્રકારનો છે એ વાત એ તુરત સ્વીકારશે. આ બેમાંથી કયે આનંદ લેવો એ બાબત કવચિત તેના મનમાં ભાંજગડ થાય છે. કેવળ આનંદ જોઈતા હશે તે ફારસ જેવા એ જશે; ઉંચી પ્રતિને આનંદ જોઈતો હશે તે નાટક જેવા એ જશે. સ્ત્રી પુરૂષના સંબંધની વાત એક કેરે રાખીએ તો સેંદર્યની સંપૂર્ણતા કરતાં હાસ્યજનકવિચિત્રતામાંથી સામાન્ય રીતે વધારે પ્રબળ આનંદની પ્રાપ્તિ થાય છે. સૌંદર્યનો આનંદ ઉગ્ર નથી હોતા અને ઘણા પ્રસંગે તો તેમાં ઉદાસીનો અંશ હોય છે. રમણીય પ્રદેશ જતાં માણસના મન ઉપર જે ઉડી અસર થાય છે તેથી અત્યંત પ્રફુલ્લ તે કવચિત જ બને છે. ઉદાસીની છાયા ગુપ્ત રીતે તેના મન ઉપર ચાલી આવે છે, આંબેમાં આંસુ તરી આવે છે અને કઈ નહિ સમજાતી અતૃપ્ત વાંછના તેના જીગરમાં ઉપજી આવે છે. છતાં હાસ્યજનક વિચિત્રતાના આનંદ કરતાં તે બેશક ઉંચો છે. જે આપણી પ્રવૃત્તિનું પ્રયોજન માત્ર આનંદની પ્રાપ્તિ જ હોય અને એ આનંદની ઉચ્ચતાનું માપ ઉત્કટતાના પ્રમાણુથી થતું હોય તો જે માણસ ઓછામાં ઓછી મહેનતે પિતાની મુરાદ હાંસલ કરે તેને ડાહ્યામાં ડાહ્યો