________________ પ૪ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. છે તેવો યથાર્થ એ પ્રયોગ સત્ય, પ્રમાણિકતા ઇત્યાદિ સદાચાર પ્રત્યે લાગત નથી. ખરું કહીએ તે સૈદર્યનું ભાન અને તેમાંથી ઉપજતે આનંદને આ વિર્ભાવ, સાદું કર્તવ્ય કે જેથી માણસ સત્યનિષ્ઠ અને પ્રમાણિક રહે છે તેના કરતાં અતરના ઉત્સાહ અને લાગણીને વધારે વળગેલાં હોય છે. બીજી વાત એ છે કે આપણા સ્વભાવમાં મને દેવતાની પદવી અદ્વિતીય છે અને તેથી મેંદર્યના અભ્યાસથી નૈતિક આચરણ સ્પષ્ટ રીતે ભિન્ન છે. આપણી દરેક ઈદ્રિયના વ્યાપારને પ્રદેશ મર્યાદિત છે, પણ મને દેવતાનું કામ આ-- પણી પ્રકૃતિના આખા પ્રદેશનું નિરીક્ષણ કરવાનું છે; અને જૂદા જૂદા મને વિકાર અને લાલસાઓની તૃપ્તિની હદ તે બાંધી આપે છે. તેથી આપણું આખા જીવનનું નિયમન તેને અધીન છે. તેની સત્તા કદિ નામની હોય તોપણ તેથી તેના સર્વોપરીપણાને હકડુબી જતો નથી. જેટલું એનું વાજબીપણું છે તેટલું જે એનું સામર્થ્ય હોત તો આખી દુનિયા ઉપર એને અમલ જામત. સઘળા મનેવિકાર, લાલસા અને રસજ્ઞતાથી એ તદ્દન ભિન્ન અને શ્રેષ્ઠ છે. તેથી જ આપણું જીવન સર્વોપરી કાયદે સદાચાર થાય છે, અને તેથીજ નીતિમાં કર્તવ્યની લાગણી આપણને રહે છે. આંતરવાદીઓના સિદ્ધાંતમાં આપણે સ્વભાવના ઉચ્ચ અને નીચ વિભાગને ભેદ બહુ અગત્યનું સ્થાન ભોગવે છે. પરંતુ આ ભેદ દષ્ટાંતદ્વારાજ સમજાવી શકાય એવે છે; કારણકે એ અનુભવની વાત છે. મેજમાં પણ કેટલીક મેજ ઉચ્ચ હોય છે અને કેટલીક નીચ હોય છે, અને આ ભેદથી પણ જીવનમાં આપણે પ્રેરાઈએ છીએ એ વાત પણ દાંતથી સમજાશે. રસના અને કાન બને દ્વારા આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. રસનાને લીધે અમુક જાતના ભોજનમાં આપણને સ્વાદ લાગે છે; કાનને લીધે સંગીતમાં મેહ ઉપજે છે. આ બન્ને પ્રકારના આનંદ આપણને સ્વભાવિક છે; અને કેળવણીથી તે દરેક આનંદમાં ઘણું વધારે થઈ શકે છે; દરેકમાં તે આનંદ ઘણે ઉત્કટ પણ ક્ષણિક હોય છે, અને કોઈમાંથી ખરાબ પરિણામ આવવાની આવશ્યકતા નથી. છતાં તે બેમાં ફેર છે. તમે કહેશે. કે સંગીતમાંથી ઉપજતા આનંદની પ્રબળતા વધારે છે તેથી એ ફેર લાગે