________________ પર ' યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગણાય છે અને તેથી ઉલટું, તે દશામાં ગૌણ ગણાતા સદ્દગુણ સુધરેલી દિશામાં મુખ્ય ગણાય છે. વળી કેટલાક સદાચાર એવા પણ હોય છે કે જે અત્યંત સુધરેલી દશા સિવાય માણસને સમજાવા અશક્ય છે. વળી કેટલીક વખત દયા અને નિર્દયતાદિ સદાચાર અને દુરાચારનો પ્રશ્ન માત્ર ઓછા વધતા સદાચારનો જ પ્રશ્ન હોય છે, અને સુધારાની કોઈ એક અવસ્થાનું રણ બીજી અવસ્થાના ધારણ કરતાં કદિ બહુ ઉચું પણ હોય. એજ પ્રમાણે વધતા જતા સુધારાને લીધે આપણી રસિક વૃતિમાં ફેરફાર થતો જાય છે. જંગલીની અને સુધરેલાની રસિક વૃત્તિમાં ફેર હોય છે. દેશ દેશના રીવાજને લીધે તેમના પહેરવેશમાં ફેર હોય છે; રંગની પસંદગી માં પણ ફેર હોય છે. રસિક વૃત્તિ કેળવાતાં તેના નિયમ પણ બદલાતા જાય છે. છતાં સંદર્યનાં સામાન્ય લક્ષણો તેના તેજ રહે છે. વળી આ બન્ને બાબતેમાં ઘણા મતભેદના કારણે પ્રાસંગિક પણ હોય છે. કોઈ વગવાળા મોટા માણસના દેખાવની કે પોશાકની વિચિત્રતાનું અનુકરણ ઘણી વખત લેકે કરવા માંડે છે અને કાળ જતાં તેમાં રસજ્ઞતા ગણવા લાગે છે. એવી જ રીતે કઈ પ્રાસંગિક સંજોગના બળે કે તટસ્થ કાર્યમાં મોટે સદાચાર ગણુંવા લાગે, તે લેકની મનોદેવતા પણ તેને ધીમે ધીમે તેવું ગણવા લાગે છે અને પછી વધારે વિશાળ ન્યાયબુદ્ધિને અપીલ કરવાથી જ આ ભૂલ સુધરી શકે છે. પિતાના સંજોગ અને સ્થિતિના પ્રભાવે દરેક પ્રજા સેંદર્ય અને નીતિ પરત્વે પિતા પોતાના જ નમુનાપ્રમાણે બેલે છે અને વરતે છે અને તેને બીજા કરતાં સ્વાભાવિક રીતે જ વિશેષ ગણે છે. ઉજડ પર્વતમાં વસનારી, ચારે તરફ દુશ્મનોથી વીંટાએલી, અને હિંમત જાગૃતિ અને અથાક બંદોબસ્તથીજ જે પિતાની સ્વતંત્રતા જાળવી રાખે છે, તે પ્રજા ક્રૂરતા અને છળકપટ પ્રત્યે કઠેર નજર નહિ રાખે; અને જે પ્રજા ધનવાન, વિદેશીય હુમલાની ધાસ્તી રહિત અને બહોળો વેપારવાળી હેય તે એજ દુરાચારને જોખમકારક ગણશે અને બીજાને સર્વોત્તમ ગણશે. એજ પ્રમાણે હબસીઓના અને રેરાઓના સંદર્યના વિચારમાં