________________ 50 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગુણમાં આપણને આકર્ષવાની શક્તિ છે એટલું જ નહિ, પણ તે ખસુસ કરીને અને અવિક રીતે સારાજ છે; તેમના તેવા હવાને આધાર આપણે બંધારણે ઉપર કે બંધારણને લઈને નથી; અને તે કદિ પણ દુરાચાર થાય અથવા તેથી ઉલટા ગુણે કદિ પણ સદાચાર થાય એ વાત અશક્ય છે એવું બુદ્ધિ-પ્રત્યક્ષ પણ આપણને થાય છે. તેથી તેઓ બુદ્ધિનાં સહજ જ્ઞાન છે. કલાર્ક કહે છે કે આપણા સ્વભાવની શક્તિઓમાં વધતા ઓછા ગૌરવનક્રમ છે અને વસ્તુઓની પ્રકૃતિ સાથે એકરાગ રહેવામાં સદાચાર છે. વોલેસ્ટન કહે છે કે સદાચાર માત્ર સત્યના પ્રકાર છે અને હચીસન કહે છે કે એ શુભેચ્છાના પ્રકાર છે; અને આ વાતમાં “નૈતિક ઈદ્રિય” સંમત થઈ તે સ્વીકારે છે. આ નૈતિક ઈદ્રિયને શેફટસબરી ઈત્યાદિ નૈતિક રસજ્ઞતા કહે છે. રીડના નીતિશાસ્ત્રમાં નૈતિક ઈદ્રિય કે શક્તિ પાયારૂપ છે. હયુમ જનહિત વાદી છે; છતાં એ કહે છે કે કાર્યની ઉપયોગિતાનું ભાન આપણને આ નૈતિક ઈદ્રિયેથી થાય છે. કેટલાક કહે છે કે આપણા નૈતિક ફેંસલામાં બુદ્ધિનો નિર્ણય અને હૃદયને આવિર્ભાવ બને હોય છે. આથી આગળ જઈ કેટલાક કહે છે કે આ બે તો જુદી જુદી જાતના સદાચારમાં જૂદે જૂદ અંશે લાગુ પડે છે. લૈર્ડ કઈમ્સ કહે છે કે ન્યાય અને સત્યાદિ કેટલોક સદાચારમાં ખરા ખોટાનું આપણું બુદ્ધિ-પ્રત્યક્ષ સંપૂર્ણ બંધનકારક છે. અને તેથી તેમના ભગમાં સ્પષ્ટ ગુને થાય છે. પરંતુ શુભેચ્છા કે સખાવત જેવા સદાચારમાં આકર્ષણ કે લાગણી વધારે પ્રબળ હોય છે અને તેમાં નૈતિક બંધન અપૂર્ણ પ્રકારનું હોય છે. કેટલાક કહે છે કે નીતિના અને સાંદર્યના અનુભવમાં ઘણું સામ્ય છે. આ બાબત વિચારવા જેવી છે. નીતિ અને સુંદરતાને નિકટ સંબંધ માણસને હમેશાં લાગે છે. પ્લેટે કહે છે કે નીતિની સુંદરતા એવા સર્વોપરી નમુનો છે કે બીજે બધાં દશ્ય સૌંદર્ય તેની છાયા માત્ર હોય છે. નીતિનું સૌંદર્ય એ શબ્દોમાં યથાર્થતા આપણને લાગે છે. આપણને લાગે છે કે સૈાંદર્યના જુદા જુદા પ્રકારમાં જુદા જુદા સદ્દગુણની વાસ્તવિક સદશતા રહેલી છે અને કાવ્ય અને વતૃત્વના ઘણાખરા મનહારિત્વને આધાર