________________ સાદસ્થ ઉપર રહેલું હોય છે. વળી આપણને લાગે છે કે આકાશાદિની સુંદરતા માત્ર દર્શનથી જ આપણને આપોઆપ સિદ્ધ છે, અને ઉપયોગિતાના ભાનથી એ વાત તદન જૂદીજ છે તથા ઉપગિતાના વિચારથી પ્રાપ્ત થતી નથી; તેથી. નૈતિક ભાનની પેઠે સૌંદર્યનું ભાન પણ આપણને સહજ અને તાત્કાલિક થાય છે. વળી આપણું મનના વ્યાપારમાં ઉડા ઉતરી આપણે તપાસીએ તે આપણને લાગે છે કે નીતિની પેઠે સૌંદર્યના ભાનમાં પણ બુદ્ધિને અંશ અને હૃદયનો ભાવ રહેલાં છે. સુખના વિચારમાં તેની ઈચ્છાનો અને કર્તવ્યના વિચારમાં તે કરવાનો વિચાર જેમ અંતર્ગત છે તેમ સૌદર્યના વિચારમાં પણ સાનંદ પ્રેમને આવિર્ભાવ રહેલે જ છે. વળી સારા નરસાના ભેદની પેઠે સુંદરતા અને વિરૂપતાને ભેદ પણ સૌને સ્પષ્ટ છે. નરસા કરતાં સારું અને વિરૂપ કરતાં સુંદર વધારે ઉત્તમ છે એ વાત પણ સર્વને નિર્વિવાદ છે. વિગત પરત્વે કેટલીક બાબતમાં મતભેદ જોવામાં આવે છે એ વાત ખરી, તથાપિ વાસ્તવિક એકમતતા ઘણી વધારે જોવામાં આવે છે. ભિન્ન ભિન્ન દેશમાં પણ ઉત્તમ કાવ્ય પ્રતિ માણસોનાં મન આકર્ષાયાં છે. સંગીતની આલ્હાદક્તા, સુંદર સ્ત્રીના મુખનું મનેહારિત્વ, તારા વાળા આકાશની કે પર્વતની ભવ્યતા, ખળ ખળ વહેતા ઝરાની મૃદુ મુંદરતા, આ સર્વની મહાનિ દરેક જમાનામાં મનુષ્યોએ અનુભવી છે અને અનુભવશે. એ જ પ્રમાણે સાહસિક સદાચાર અને સદ્દગુણના નમુનાની સર્વ કાળમાં લેકેએ વાહ વાહ કહી છે અને કહેશેજ. નાની નાની બાબતમાં મતભેદ હોવા છતાં મેટી બાબતમાં તે સાર્વત્રિકતા સ્પષ્ટ જ છે. એકંદરે સિદ્ધાંત તે અવિકૃતજ છે. સત્યને દુરાચાર કે વ્યભિચારને સદાચાર કોઈ કહેતું નથી; તેમ ઉનાળાના રમણીય સૂર્યાસ્તને વિરૂપ કે ઘંટીગેબાવાળા મનુષ્યના મહેને સુંદર કઈ કહેતું નથી. બને બાબતમાં જે મતભેદ પડે છે તે મોટે ભાગે જમાનાની ભિન્ન ભિન્ન અંશે પ્રગતિને લઈને પડે છે. નૈતિક ધારણ અમુક હદમાં અને જનસમાજના વિકાસની સાથે સાથે અમુક નિયમેજ બદલાય છે. જંગલી દશામાં સર્વોત્તમ ગણાતા સદ્દગુણ સુધરેલી દશામાં દમ વગરના