________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. - 49 છેવટના પૃથક્કરણમાં આપણું સઘળી વૃત્તિઓને એક બીજાથી ભિન્ન ભિન્ન કરી આપે છે એટલે જ અર્થ “નૈતિક શક્તિ”ને થાય છે. આપણામાં નૈતિક શક્તિ રહેલી છે એમ કહેવામાં આંતરવાદીઓને આશય એવો નથી કે શરીરના અવયવની પેઠે અંતઃકરણમાં તે પણ એક ભિન્ન અને સ્પષ્ટ અવયવ છે. આવી જડવાચક કપનાની આપણને કોઈ માહિતી નથી. “શક્તિ શબ્દ માત્ર વર્ગીકરણનેજ વાચક છે. આપણામાં રહેલા ચેતન પદાર્થની સત્તાને લીધે જાણવાની, અનુભવવાની અને નિશ્ચય કરવાની આપણામાં શક્તિઓ રહેલી છે એમ બોલવાનું તાત્પર્ય એવું નથી કે ઘરના ઓરડાઓની પેઠે તે શક્તિઓનાં પણ આપણા અંતઃકરણમાં જુદાં જુદાં ખાનાં છે. આપણું વ્યકિતત્વ તે આખું અને એકજ છે. તેના ભાગ પાડી શકાતા નથી. પરંતુ તે શક્તિઓનું ભાન એકંદરે આપણને જૂદું જુદું થાય છે. નૈતિક શક્તિ રસિક વૃત્તિથી ભિન્ન છે એમ કહેવામાં મતલબ એટલી જ છે કે નૈતિક ઉત્તમતા વિષે અતઃકરણ અમુક પ્રકારના અભિપ્રાય આપે છે અને ૌંદર્ય પરત્વે અન્ય પ્રકારના અભિપ્રાય એ આપે છે. નૈતિક પ્રત્યક્ષ આપણા સ્વભાવના કયા ભાગને થાય છે એ પ્રશ્નનું રહસ્ય એટલું જ છે કે માનસિક દર્શનેની ક્યી પરિપાટીને તેઓ ઘણાજ મળતા આવે છે ? આટલી વાત જે બરાબર ધ્યાનમાં રાખવામાં આવે તે આંતરવાદીઓનું દેખીતું મતભિનત્વ બહુ ઓછું લાગશે, કારણ કે નૈતિક મનભાવનું કોઈ એક લક્ષણ માત્ર સ્પષ્ટ કરવા દરેક શાખા મથે છે. દાખલા તરીકે બટલર કહે છે કે કર્તવ્યના ભાનને લીધે નૈતિક મનોભાવ બીજા બધા મનેભાવથી જૂદા તરી આવે છે. તેથી આપણું આચાર ઉપર તેમની સર્વોપરિ સત્તા છે. આ સર્વોપરિ સત્તા જે શક્તિના હવાલામાં છે તે શક્તિનું નામ મને દેવતા. એડમ મિથ ઈત્યાદિ લેખકને નૈતિક મને ભાવમાં રહેલી સહૃદયતા આકર્ષક લાગી. સ્વાભાવિક રીતે જ આપણને દયાનું આકર્ષણ થાય છે, અને ક્રૂરતાને અણગમો હોય છે. તેથી ખરા ખોટાને ભેદ કહેતી શક્તિમાં વિવેક બુદ્ધિનું તત્ત્વ નથી એમ તેણે કહ્યું. પરંતુ કડવર્થ, કેન્ટ ઈત્યાદિને આ પૃથક્કરણ યથારિત ન લાગ્યું. ન્યાય, દયા, સત્યતાદિ સદ્--