________________ * આવરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. - ~ મેળે થાય છે, જેનાં મન આમ જનહિતવાદને માટે આગળથીજ તૈયાર થઈ રહેલાં હોય છે. બીજું કારણ બુદ્ધિનું આકર્ષણ છે, કારણ કે તેની મોહક સાદાઈ અને સરળતાથી ઘણાં માણસની બુદ્ધિ અજાઈ જાય છે. જન-સ્વભાવમાં રહેલી ભિન્ન ભિન્ન શકિતઓ અને મિશ્ર વ્યાપારે એજ સિદ્ધાંત અથવા પદ્ધતિને વશ છે એ દાવે તે કરે છે; અને એ વિચાર લોકોને ઘણે સરળ અને મોહક લાગે છે. તેથીજ છેલ્લા સૈકામાં ઇકિયવિજ્ઞાન વાદ ઘણે કપ્રિય થઈ પડ્યો હતો, અને તેથી જ આ શાળાના ઘણા ખરા તત્વચિંતક જન–સ્વભાવમાં રહેલા દ્વતની ના પાડવા પ્રેરાયા હતા. પરંતુ કેવળ સરળતા નીતિની બાબતમાં ખાસ કરીને જોખમકારક નીવડે છે; કારણ કે આપણી નૈતિક મનોવૃત્તિઓના વ્યાપાર એક બીજામાં ભળાઈ જતા હોવાથી અને દરેકનાં અનેક રૂપાંતર થઈ શકતાં હોવાથી, દરેકમાંથી બીજી બધીની ઉત્પત્તિને ખુલાસો કઈને કઈ રીતે આપી શકાય છે. આ પ્રમાણે જ્યારે હઝ, સ્વાર્થના સિદ્ધાંતના નામે કહે છે કે બીજાનીં આફતના ભાનથી ઉપજતી આપણા પિતાના ઉપર ભાવિ આફતની કલ્પનાનું નામ દયા છે; પપકારના સિદ્ધાંતના નામે જ્યારે હચીસન કહે છે કે બીજા ઉપર જુલમ કરવા આપણે ઉશ્કેરાઈએ છીએ અને તેથી પરોપકાર વૃત્તિ શિથિલ થઈ જાય છે; એ દુરાચારની દુરાચારતા છે; વળી આપણા સ્વભાવની સર્વોત્કૃષ્ટતાને બચાવ કરતાં કેટલાક જ્યારે એમ કહે છે કે દયાથી એતે ઉત્તમ પ્રકારને આનંદ થાય છે કે તે લાગ ને સંતોષવાની ખાતર આપણું ક્રર કૃત્યો થાય છે, ત્યારે આ દરેક સિદ્ધાંતમાં વિચિત્રતા છતાં, માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં બેશક તેમાં કાંઈક સત્ય છે ખરું. ભવિષ્યના દુઃખની જેને તીવ્ર ધારતી રહે છે તેના હૃદયને બીજાનું દુઃખ જોઈ આંચક લાગે છે. જે માણસને પરોપકારની તીવ્ર લાગણીઓ હોય છે તે બીજાનું બૂરું કરવામાં પ્રવૃત્ત થતું નથી, અને દયામાં આનંદનો અંશ રહે છે એ વાત પણ ખરી છે, અને કોઈ માણસમાં એ અશ વખતે એવો તીવ્ર બની જાય છે. તેની ખાતર ગુને પણ તે કરે. પણ આ બધું અપવાદ રૂપ હોય છે અને આ અપવાદને નિયમ