________________ 12 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જન-સ્વભાવની રચનાજ એવી છે કે બીજાના આનંદમાં સ્વાભાવિક રીતે જ આપણે આનંદ માનીએ છીએ એ વાત તો સામાન્ય માણસને પણ સમજાઈ જાય એવી સ્પષ્ટ છે. છતાં એ વાતની હસ્તે સાફ ના કહી છે; અને હેવેશિયસની શાળાના લેખકે એમ પણ સાબીત કરવા મથ્યા છે કે સઘળી કૌટુંબિક અને મિલનસાર લાગણીઓ, જે માણસના ઉપર આપણી ચાહના હોય છે તે પ્રિયજન આપણને આવશ્યક હોવાથીજ આપણે બતાવીએ છીએ. સહૃદયતાનાં સુખ દુઃખ વાસ્તવિક છે એવો સ્વીકાર બેન્જામે કર્યો છે, પરંતુ પિતાના સિદ્ધાંતને અનુસરી, પિતાના લેખમાં એ સ્વીકારને એણે આગળ પડવા દીધો નથી; અને સદાચારના સાધનોની નોંધ માં એ સ્વીકારને સ્થાન એણે આપ્યું નથી. તથાપિ, એ મતના પાછલા અનુયાયીઓ એવા સ્વીકારની તરફેણમાં છે, જો કે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે બાબત તેમનામાં મતભેદ છે. કેટલાક કહે છે કે વિચારસાહચર્યના બળે સ્વાર્થમાંથી જ પાપકારની લાગણીઓ જન્મે છે. બીજાને એના મત પ્રમાણે તે લાગણીઓ આપણું સ્વભાવના અસલ અંશ છે. તેમની ઉત્પત્તિને પ્રકાર ગમે તે હોય, પણ તેમના અસ્તિત્વને સ્વીકાર તેઓ આમ કરે છે; અને કહે છે કે તે લાગણીઓને કેળવવી એ નીતિને મુખ્ય ઉદ્દેશ છે, અને તેમના ઉપયોગથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ સદાચારની પ્રવૃત્તિનું એક મુખ્ય કારણ છે. આંતરવાદીઓ પણ એમજ કહે છે, છતાં બન્નેના મતમાં ભેદ છે અને તે બે પ્રકાર છે. બને કબુલ કરે છે કે પરોપકાર અને દ્વેષ બન્ને વૃત્તિઓનું અસ્તિત્વ જનસ્વભાવમાં છે અને તેમને ભિન્ન ઓળખાવતી કુદરતી શક્તિ આપણામાં રહેલી છે; પરંતુ આંતરવાદીઓ કહે છે કે આ બનને વૃત્તિએ સન્મુખ થતાં તેમાંથી એક સારી અને બીજી નઠારી એવું સહજજ્ઞાન આપણને થાય છે, પણ જનહિતવાદી એ વાતની ના પાડે છે. બીજો ભેદ એ છે કે પરોપકારનાં કાર્યો કરવાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે એ વાત બનેને માન્ય છે; પણ જનહિતવાદીઓ કહે છે કે એ આનંદને માટેજ પરોપકારમાં આપણી પ્રવૃત્તિ થાય છે. પણ ઘણા ખરા અતરવાદીઓ કહે છે કે