________________ 34 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મરકી, પ્રાણીઓ ઉપર જીવનારાં પેટના કૃમિઓ, ઉંદર બિલાડી જેવાં વેર અને કરતા, ઈત્યાદિ પુષ્કળ દુઃખ અને સંકટ આપણે જોઈએ છીએ. આ ઉપરથી ઈશ્વરને ક્રર આપણે શા માટે ન કહેવો ! વળી બુદ્ધિ-વિષયક બાબતમાં પણ કુદરતે ઘણે ભ્રમ ઉપજાવેલ છે. દરેક ચીજ જોતાં જંગલીની જીજ્ઞાસા તેને ભ્રમમાં જ નાખે છે. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતે ના દી જણાય છે; ચંદ્ર અને તારા પિતાને અજવાળું આપવા માટે જ માત્ર સરજાએલા લાગે છે; વિચિત્ર પ્રકારના રોગ થતાં શરીરમાં ભૂત ભરાએલું સમજાય છે; કુદરતના ભયંકર બનાવે જડ શક્તિનાં નહિ પણ પૃથક્ પૃથક્ ચૈતન્યમય કર્તાઓનાં કાર્યો લાગે છે, અને આવી આવી વાતોથી એના મનમાં વહેમ જડ ઘાલીને બેસે છે. આવા આવા વહેમને લીધે સેંકડો વર્ષ લગી જગતમાં લેહીની નીકે વહી છે, કુદરતના કાયદા દેવ રૂપે પૂજાયા છે અને લાખો પ્રાર્થનાઓ તેમને નાહક થઈ છે. આમ કુદરતના ભ્રમજનક દેખાવને લીધે, સર્વત્ર બાળક અવસ્થામાં ભયંકર ભ્રમણાએને ભોગ થએલી મનુષ્યની મતિ સેંકડો વર્ષોના ભારે પરિશ્રમ પછી જ માંડ માંડ તેમાંથી મુક્ત થએલી છે. અર્થશાસ્ત્રથી પણ એ જ વાત સિદ્ધ છે. પ્રજાઓના સ્વાર્થ એક બીજાથી વિરૂદ્ધ છે એવી ભ્રમણા થતાં અનેક ખુનખાર લડાઈઓ સળગેલી છે અને તેમાં દુનિયાને ડાટ વાળી ગયું છે. પરંતુ આવી ભ્રમણામાં પ્રબળમાં પ્રબળ બુદ્ધિવાળાં માણસો પણ ગોથાં ખાઈ ગયાં છે અને માત્ર હમણા હમણામાં જ દ્રવ્યના કાયદાઓનું રહસ્ય દુનિયાને સમજાવા લાગ્યું છે. ; પરંતુ આ ઉપરથી આપણે સમજવું શું ? જે કેવળ કુદરતના અનુભવ ઉપરથી જ આ બાબતમાં આપણને સમજવાનું હોત, કેટલીક વસ્તુઓ પિતાના સ્વભાવથી જ સારી છે અને કેટલીક ખરાબ છે એવું જ્ઞાન જે આપણને બિલકુલ થતું જ નહત, તે આપણે કેમ કહી શકત કે ઈશ્વર સર્વ વાતે સંપૂર્ણ છે? સૃષ્ટિમાં શુભ વૃત્તિની વિશેષ પ્રતીતિ આપણને થતી હોય, તો પણ કુદરતના મિશ્રિત ધર્મો ઉપરથી તેના યંત્રકારમાં પણ તેવા મિશ્રણને આરોપ આપણે કર જોઈએ. શ્રેષ્ઠ સર્વોત્તમતાનું આપણું જ્ઞાન,