________________ યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કુદરતમાં ઈશ્વરને સ્વીકાર થઈ શકે છે, કારણ કે તેવા સ્વીકારમાં આપણું અને આપણાથી ઉત્તમ સ્વભાવ વચ્ચેનો સંબંધ અંતર્ગત રહેલ છે. અને એ સ્વીકાર ન કરીએ તે આદિ-કારણના અસ્તિત્વને પ્રશ્ન માત્ર પુરાણને વિષય બની જાય છે અને ધર્મ કલ્પનાને વ્યાપાર માત્ર બની જાય છે. પરંતુ મોટે ભાગે જનહિતાવાદીઓ કહે છે કે વ્યાવહારિક કાયદાથી જ તેમને સિદ્ધાંત સ્થાપિત થાય છે. અર્થાત બરાબર સમજાય તે આપણા કર્તવ્યને મેળ આપણું સ્વાર્થની સાથે એ તે મળતો આવે છે કે માત્ર વ્યવહારમાં દૃષ્ટિ રાખી માણસ વરતે તે સંપૂર્ણ સદાચારી તે અવશ્ય થાય છે. શારીરિક દુર્ગુણથી અંતે શરીરની ક્ષીણુતા અને દુઃખ આવે છે. ઉડાઊીપણથી અંતે ખરાબી થાય છે. નિરંકુશ રાગદ્વેષથી કૌટુંબિક શાંતિને ભગ થાય છે. બીજાના સ્વાર્થની બેદરકારીથી સમાજની અને કાયદાની શિક્ષા થાય છે. તેથી ઉલટું જેમ સદાચાર વધારે થાય તેમ શાંતિ વધારે રહે છે. પરોપકાર કરવાથી એક પ્રકારને ખરેખર આનંદ થાય છે; અને ટેવ પડતાં સદ્દવર્તનથી અવશ્ય સુખ થાય છે. ટેવ પડયા પછી જેમ દુકાનદારને દુકાને ગયા વિના ચેન પડતું નથી, તેમ નીતિમાં રણધીર પુરૂષ પણ, જે સદાચાર પ્રથમ પિતાના સુખનું સાધન માત્ર હતું તે સદાચારને પછી સર્વથી વિશેષ ગણતાં શીખે છે અને તે જારી રાખે છે. હવે આ મત પ્રમાણે વ્યવહારિક ડહાપણમાં સદાચાર ગણાય છે, અને સદાચાર અને સ્વાર્થ વચ્ચે સંપૂર્ણ મેળ છે એમ લેખાય છે. પરંતુ જો કે આવા મંતવ્યમાં કાંઈક સત્ય સમાયેલું છે, તથાપિ તેથી આપણે છેતરાઈ જવાનું નથી, કારણ કે વ્યવહારના બહુ જૂજ પ્રદેશમાં એ સત્યની સિદ્ધિ છે. પ્રથમ સમષ્ટરૂપે પ્રજાઓને એ વાત લાગુ પડતી નથી, કારણ કે જો કે મેજ અને વિલાસથી પ્રજાનું હૃદય-બળ ખવાઈ જઈ નિર્વીર્ય બની જાય છે, તથાપિ પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસથી સિદ્ધ થાય છે કે જૂલમ, લોભ, સ્વાર્થ અને કપટના સેવનથી પણ પ્રજાની આબાદી બહુ વધી શકે છે. વળી જ્યાં સામાજીક અભિપ્રાયન ડર લેકને હોતે નથી