________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વખતે પિતાની મને દેવતાના ડંખની વેદના એવી તે તીવ્ર એને થશે કે તેને લીધે એ દુરાચારમાં એ પ્રવૃત્ત થશે નહિ. હવે મને દેવતાની સત્યતાની અને તેથી થતા સુખ દુઃખની આંતરવાદીઓએ ના કદિ કહી નથી અને કહેતા નથી. પણ આ સુખ દુઃખની સત્તા એવી પ્રબળ છે અથવા આપણા આચાર પ્રત્યે એવું પ્રમાણ તેઓ જાળવી રાખે છે કે તેથી કરીને માણસની પ્રવૃત્તિ સદા સદાચારમાં જ થાય છે એ વાતની તેઓ ના કહે છે, અને આ બાબતની સત્યતા માટે તેઓ આંતર પ્રત્યક્ષની સાક્ષી આપે છે. મને દેવતાને આપણા સ્વભાવનું મૂળ તત્વ માનીએ અગર વિચાર-સંગતિનું કુળ માનીએ, પરંતુ તેનો અધિકાર બે પ્રકારને સ્પષ્ટ છે. પ્રથમ તો ખરા બોટાને ભેદ એ કહી આપે છે, અને બીજે અમુક અંશે દુઃખ અને બેચેની એ ઉપજાવે છે. પ્રથમ અધિકાર મનુષ્યની જીંદગીમાં એ સતત ભોગવે છે, બીજો અધિકાર ખાસ સંજોગોમાં જ એ ભોગવી શકે છે. દીવાને ન હોય તે પહેલા દુરાચારનું દુરાચારીને ભાન તે થાય છે, પણ તેથી તેનું હૃદય તેને ડંખી શકતું નથી. કારલાઈલ કહે છે તેમ, કલેજાની સત્તા કરતાં મનોદેવતાની સત્તા મનુષ્યના સુખ ઉપર ઓછો અધિકાર ભોગવે છે. મનદેવતાની વેદના અણગમાની વૃત્તિને બહુ મળતી છે. હલાલખોરને ધંધે બીજા કોઈને કરે ગમશે નહિ, પણ હલાલખોરને તેને અણગમે હોતો નથી. તે જ પ્રમાણે પેધેલા દુરાચારીમાં દુરાચારને ડંખ જતો રહ્યો હોય છે. સચેત હૃદયની અને હી લ્હીને ચાલનારી ગુણી બાળા આજ્ઞાભંગ કે છોકવાદીના પિતાના એકાદા કાર્ય પ્રત્યે પણ ના પસંદ નજરથી જોશે, પરંતુ ગુનામાં રચીપચી રહેતા દુષ્ટ હરામખોરની મનોદેવતા તે બાબતમાં ગામ જ ગએલી હોય છે. વિચાર-સાહચર્યના બળે ભલે મનુષ્યમાં એવી એક વૃત્તિ ઉભી થતી હોય કે જેથી કરીને સ્વાભાવિક રીતે દુ:ખદ વસ્તુ સુખદ લાગે અને સુખદ વસ્તુ દુઃખદ લાગે; પણ પ્રશ્ન એ થાય છે કે એ વૃત્તિને મનુષ્ય શા માટે માન આપવું ? બાહ્ય-અનુભવવાદીના મત પ્રમાણે તે સ્વાભાવિક કર્તવ્ય જેવી કોઈ વસ્તુ જ નથી. જીંદગીમાં માણસે પિતાનું સુખ શોધવા જ તત્પર