________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગીની છે અને જે જ્ઞાન વધારવા જાય છે તેને સંતાપ પણ વધે છે. આચરણના પ્રદેશમાં પણ એ જ વાત સ્પષ્ટ છે. બહુ કષ્ટ વિના જે સદાચાર પાળી શકાય છે અને બહુ પ્રયાસ વિના જે ટકી શકે છે તે સદાચાર સુખનો વધારેમાં વધારે સાધક થાય છે એ સ્પષ્ટ છે. કુદરતની અને કાયદાની શિક્ષા દુરાચારના મોટા અને હડહડતા પ્રસંગે જ થાય છે. સામાજીક શિક્ષા કદિ ઉંચી પ્રતિમા સદાચારને પણ થાય છે. સમાજના હાનિકારક રિવાજને માન નહિ આપનારા સારા માણસની ગેરઆબરૂ અને અવગણના થાય છે. જનહિતવાદીઓ કહે છે કે સમાજના વિચારની સાથે મનુષ્યની એકતા એક દિવસ એવી થશે કે તેને લીધે સમાજની વિરૂદ્ધ સઘળી લાગણીઓ દબાઈ જશે, પણ આ એકતાને લીધે જ માણસે અત્યંત સદાચારી કે અત્યંત દુરાચારી નહિ થઈ શકે, કારણ કે પિતાના સુખની ખાતર સમાજના સામાન્ય અભિપ્રાયની વિરૂદ્ધ વર્તન કરવાનું મન કોઈને નહિ થાય. આમ દુરાચારની સાથે સદાચારને પણ દબાઈ જવાને પ્રસંગ આવશે. તમે કહેશે કે સંપૂર્ણ સદાચારી માણસના મનની સ્વસ્થતા એ સુખને જે ઉંચામાં ઉંચો પ્રકાર છે, અને વ્યાવહારિક લાભ અને સમાજની શાબાસી મેળવવા કરતાં તેવી સ્વસ્થત મેળવવી વાસ્તવિક રીતે વધારે સારી લેખાય. પણ તેવી સંપૂર્ણ સ્વસ્થતા કઈ પ્રાપ્ત કરી શકતું નથી, અને તેની ઝાંખી પણ કઇકને જ થઈ શકે છે. જ્યારે કોઈ માણસની દુષ્ટ વૃત્તિઓ ઘણી પ્રબળ થાય છે ત્યારે તેને સ્વભાવ છે તેના કરતાં જો અસલથી જ ભિન્ન હોત તે તે વધારે સુખી થાત એમ તે દુઃખીઆને કહેવું નિરર્થક છે. જે સુખની પ્રાપ્તિ જ તેની મતલબ હોય, તે જેવો હોય તે પણ તેના સ્વભાવમાંથી જ તે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યા વિના તેને બીજો ઉપાય નથી; તેથી તે દુષ્ટ વૃત્તિઓને કાંઈક તેડ કાઢયા વિના તેને શાંતિ થવાની નથી. અર્થાત આપણી પ્રકૃતિના ગુણ પરત્વે જ નીતિને આ સ્વાર્થ-સિદ્ધાંત લાગુ પડે છે, પણ પ્રતિની સામે થઈ જે ઉત્તમ પ્રતિને સદાચાર પળાય છે તેમાં એ નકામે છે. આપણી શુભ વૃત્તિઓને કેળવતાં એક જાતનો આનંદ આપણને થાય છે એ નિસંશય છે, પરંતુ દુષ્ટ વૃત્તિઓને દબાવી દેવામાં બેશક એવું સુખ