________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. પ્રાપ્ત થતું નથી. આખી જીંદગી પર્યત કરે કાંઈક અને ઈચછે તેથી વિરૂદ્ધ એવાં પણ માણસ હોય છે. આવાં માણસને સદાચારી થવા માટે સુખને ભોગ આવશ્યક છે, કારણ કે કુદરતી વિકારોની મધ્યમસર તૃપ્તિ કરતાં જે સહન કરવું પડે છે, તેના કરતાં તેમની સામે થતાં ઘણું વધારે સહન કરવું પડે છે. ખરી વાત એ છે કે અત્યંત સદાચારી જીવન આ દુનિયામાં માણસના સુખનું ઉપકારક થાય છે જ એ કથનના જેવું હડહડતું જૂઠું બીજું કોઈ નથી. સ્વભાવ અને સંજોગના બળે એક માણસ પિોતાની જાત ભાદએના સુખમાં પિતાનું મોટામાં મોટું સુખ માને અને બીજો માણસ તેમની દુર્દશામાં પિતાનું સુખ માને, અને આ બીજો માણસ જે પિતાના લાભને અનુસરી વરતે તે તેમાંથી ઉપજતા પરિણામ બાબત જનહિતવાદીને ગમે તેટલે અફસોસ થાય પણ તેને ઠપકો આપવાને કે તેના પ્રત્યે અણગમે બતાવવાને તે જનહિતવાદીને કશે હક નથી. કારણ કે જનહિત વાદીને મુખ્ય સિદ્ધાંત જ એ છે કે માણસની પ્રવૃત્તિ પિતાના મોટામાં મોટા સુખના આશયથી જ થાય છે. * વળી પાપ કરતાં હૃદયમાં બેચેની અને દુઃખ સામાન્ય રીતે બેશક થાય છે, પણ તે ગુનાની ગંભીરતાના પ્રમાણમાં હતાં નથી. મજા તંતુઓની અવ્યવસ્થાને લીધે ઘણું કરીને સ્વભાવમાં ચીડીઆપણું આવે છે; પણ આ ચીડીઆપણાને લીધે અગર ઢીલ કે ઢચુપણાને લીધે હૃદયને ભ્રષ્ટ કરી નાખે એવા કેટલાક અત્યંત ખરાબ દુરાચાર કરતાં પણ વિશેષ દુઃખ ઘણીવાર થાય છે. સદાચારી માણસને ખિન્ન સ્વભાવ છંદગીમાં ઝેરરૂપ કદિ થઈ પડે, અને સ્વાર્થી લુચ્ચો માણસ સ્વભાવની ચંચળતાને લીધે સંસારમાં લાભ પામી જાય અને સુખી થાય. પરંતુ અહીં હાર્ટલીના અનુયાયીઓ કહેશે કે સુખ દુઃખની ગણત્રી કરવામાં મનોદેવતાના ડંખની વાત તમે ધ્યાનમાં રાખતા નથી. આજુબાજુને વિચાર રાખીને પિતાના દુષ્ટ મને વિકારની મધ્યમ રીતે તૃપ્તિ કરતાં પિતાના ચિત્તની સ્વસ્થતા વધતી કોઈ માણસને લાગે, તે તેજ