________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, માણસ તે વર્તનમાં પ્રેરાય છે તેમને નિર્બળ કરતાં અમુક અંશે દુખ થાય છે એમ કહેવું, અને તે વર્તન કરવાનું માણસનું કર્તવ્ય છે એમ કહેવું, એ બન્ને વાત ભિન્ન ભિન્ન છે એ સ્પષ્ટ છે. હાર્ટલીને સદાચાર અંતે કલ્પનાને રોગ જ છે. લેભ વૃત્તિ કરતાં સમાજને એ વધારે લાભકારક કદાચ થતો હશે, પણ બનેની રચનાનો પ્રકાર એક જ છે; અને બન્નેનું બંધન-બળ બરાબર સરખે જ અંશે છે. હોટલીના મત પ્રમાણે પોતાની મનેદેવતાની આજ્ઞા પ્રમાણે જે કાઈ ન ચાલે તો તેને દુરાચારી કહી શકાય નહિ. જનહિતવાદીઓ કહે છે કે સ્વાર્થથી સ્વતંત્ર કર્તવ્યને કાંઈ અર્થ જ થતું નથી, કારણ કે જે કાર્ય ન કરવાથી આપણને કાંઈ ખરાબ પરિણામ આવે નહિ તે કરવાની આપણને ફરજ છે એમ કહેવામાં મૂર્ખાઈ છે. પરંતુ આ લીલને જવાબ આપો હવે સહેલું છે. કર્તવ્યને કાયદો પળાવવામાં દાન અને દંડ સહાયભૂત થાય છે એ વાત ખરી, પણ કર્તવ્યના સ્વભાવનાં તે આવશ્યક તો નથી. અને આ વાત સામાન્ય લકેને સ્વતઃ સિદ્ધ જ લાગે છે. આંતરવાદીઓ એટલું જ કહે છે કે કેટલાંક આચરણે બીજા કરતાં વધારે સારાં, ઉત્તમ અને ઉચા પ્રકારનાં હોય છે એ જ્ઞાન આપણને આંતર પ્રત્યક્ષથી જ સિદ્ધ છે; આપણા જીવનના બંધારણને લઇને આ વાત સુખ કે દુઃખની અપેક્ષાથી અત્યંત ભિન્ન છે; અને આપણું પ્રવૃત્તિનું પ્રયોજન તે થઈ શકે, થવું જોઈએ અને વારંવાર થાય છે. ઉત્તમ રસ્તો મૂકીને માણસ કદાચ અધમ રસ્તો ગ્રહણ કરે એ વાત બને એવી છે. અને તેમ થાય તો તેને શિક્ષા થવી યોગ્ય છે એમ આપણે કહીએ છીએ, અને ન થાય તે તે વાતને આપણે ગેરવાજબી ગણીએ છીએ, પરંતુ તેને દાન કે દંડ દેવા કેઈ ઉપરી સત્તા ન હોય, તે પણ તેથી તેનાં ખાતટસ્થ થઈ જતાં નથી. તેનાં સારાં કામની સ્તુતિ કે નઠારાં કામની નિંદા બં થાય તે પણ તે અનુક્રમે સારાં અને નઠારાં છે જ અને રહેશે. સુખ સિવાય અન્ય હેતુ પસંદ કરવાની માણસની શક્તિ છે કે કેમ એ પ્રશને નિર્ણય અંતે આંતર-પ્રકાશના ભાગે રહેવા દેવો જોઈએ. સદાઅરની પછવાડે ગમે તેટલું સુખ આવતું હોય, પરંતુ કોઈપણ સ્વાથી