________________ આચરણનો સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. નષ્ટ થતું જશે. કાર્યોમાં અને બંધાઈ ગએલા સ્વભાવમાં રહેલાં સુખ વધારવા કે ઘટાડવાના વલણથી તેમની નીતિનું માપ કરવાને જનહિતવાદીને કાયદો, અથવા “માણસે એવું વર્તન રાખવું જોઈએ કે તેમાં સમાએલા કાનુનને સર્વ બુદ્ધિશાળી મનુષ્ય કાયદા તરીકે સ્વીકારે' એ કેન્ટનું સૂત્ર, જીદગીમાં એક માર્ગદર્શક તરીકે કદાચ ઘણું ઉપયોગી હશે; પણ તેમને નૈતિક વજન પ્રાપ્ત થાય એટલા માટે નૈતિક બંધનની લાગણી તેમનાથી પ્રથમ હેવાની જરૂર છે; અર્થાત કર્તવ્યની જાણ થાય ત્યારે તે પ્રમાણે જીદગીમાં વર્તવાની આપણી ફરજ છે એનું ભાન પ્રથમ સ્વીકારવું જોઈએ. અને વિવેકબુદ્ધિની નજરમાં, આ તાવ કેવળ કૃત્રિમ વિચાર–સાહચર્ય કદિ પૂરું પાડી શકતું નથી. આમ ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં, આ સિદ્ધાંત નીતિને ઉધો. વાળનારે જ નીવડે છે; અને વિશેષે કરીને સ્વાર્થ–ત્યાગ અને ઉંચી પ્રતિના હિંમતવાન સદાચારને તે બહુ પ્રતિકૂળ છે. આ સદાચારને તેમાં અવકાશ મળતો હોય તો પણ તેમનું વાજબીપણું તે મતમાં સિદ્ધ થતું જ નથી. મનેદેવતાને ઉત્પત્તિમાન વૃત્તિ માનવાથી તે મને દેવતા રહેતી નથી; અને કઈ આંતરવાદી એ વાત કબુલ કરશે નહિ. જે કેટલીક વૃત્તિઓ આપણામાં અત્યારે છે તેમની ઉત્પત્તિને ખુલાસો આપવો એટલું જ કામ નીતિવેત્તાનું છે એમ માનવું કેવળ ભૂલ ભરેલું છે. સઘળા આચરણના મૂળમાં એક એવી માનસિક બુદ્ધિ રહેલી છે કે જે સ્પષ્ટ રીતે પ્રિયતા કે અપ્રિયતાની આપણી લાગણીથી, સુખ કે દુઃખથી, તદન ભિન્ન છે. પિતાની કોઈ નિર્દોષ ઇથી જ્યારે માણસને કોઈ નુકસાન થાય છે અથવા સામાજીક કેઈ કાયદાને ભગ અજાણતાં તેનાથી થઈ જાય છે ત્યારે કદિ મનમાં ઘણે દિલગીર બની તે શરમાઈ જાય છે; છતાં તેણે કોઈ પાપ કર્યું નથી એમ એ સારી રીતે સમજે છે. કર્તવ્ય અને તેની સર્વોપરિ સત્તાનું ભાન મને દેવતાનું ખાસ લક્ષણ છે અને આ લક્ષણ વડેજ આપણા સ્વભાવના સધળા અંશથી તે ભિન્ન થાય છે; પણ એ ભાનની સ્પષ્ટતા વિચાસાહચર્યના નિયમથી બલકુલ થતી નથી. અમુક વર્તન સુખકારક છે અને જે વૃત્તિઓને લીધે