________________ જર યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. . પ્રસન્ન રહે છે એ વાતનું ખાન નીતિશાસ્ત્રીઓ બહુ કરે છે, પણ વ્યવહારમાં એ અનુભવ ભાગ્યે જ થાય છે. વ્યવહારમાં અતિ સ્વસ્થ ચિત્તને માણસ સદાચારમાં અતિ સંપૂર્ણ સ્વભાવને કવચિત જ હોય છે. નીતિમાં માણસ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ નીતિ પરત્વે તેની લાગણું સૂક્ષ્મતર અને તીવ્રતર થતી જાય છે; અને આપ–શાબાસીની રેલછેલને અંકુશમાં રાખવા વિવેક અને નમ્રતાની વૃત્તિ સર્વોત્તમ સદાચારી માણસમાં હમેશાં હાજર હોય છે. અર્થાત આ આપશાબાસીનું સુખ કર્તવ્યના વિચારનું વિરોધી છે. આચરણના અને ધર્મના દરેક ખરા સિદ્ધાંતમાં, સદાચારના પ્રવર્તક હેતુઓ ઉપર ચિત્તની એકાગ્રતા જેમ જેમ વધારે થતી જાય છે તેમ તેમ તે હેતુઓ વધારે બળવાન થતા જાય છે. જ્યારે તેઓ નજરમાં રહેતા નથી, જ્યારે રાગદેષથી ઘેરાઇ તેઓ અસ્પષ્ટ થઈ જાય છે, જ્યારે તેઓનું ભાન રહેતું નથી અથવા તે ભૂલી જવાય છે, ત્યારે જ માત્ર તેમને વ્યાપાર બંધ પડે છે અને આચરણમાં પ્રતીત થતાં અટકી જાય છે. પરંતુ જનહિતવાદના સદાચારને વિચાર એ છે કે જેમ જેમ તેનાં મૂળ અને સ્વભાવ વિચારમાં સ્પષ્ટ થતાં જાય, તેમ તેમ ચારિત્ર્ય ઉપર તેની અસર ઓછી થતી જવી જોઈએ. ઈદ્રિયજન્ય આનંદો હમેશાં વિવેક કૈિવા પૃથ કરણના બળની અવગણના કરશે, કારણ કે આપણું જીવનમાં તેમનો વાસ્તવિક પાયો છે. અનાદિ કાળથી વસ્તુસ્થિતિ એવીજ છે. પરંતુ સદાચરણથી જે આનંદની પ્રાપ્તિ આપણને થાય છે તે આનંદનો પાયો આ જનહિતવાદ પ્રમાણે તદન જૂદાજ છે. પ્રાસંગિક અને કૃત્રિમ વિચાર-સંગતિનું તે પરિણામ છે; ટેવનું, સાધનને ઉદ્દેશ માનતી કલ્પનાની ગેરસમજનું, જે કાર્યો અને ગુણે સમાજને ઉપયોગી છે તેમને સમાજથી અપાતા ગૌરવનું, ફળ છે. જેમ જેમ આ વાત હૃદયમાં ઉતરતી જાય છે, જેમ જેમ સ્વાભાવિક સર્વોત્તમતા અને નૈતિક બંધનના વિચારથી સદાચારના વિચારને અંત:કરણ પૃથક્ કરતું જાય છે અને તેમને સંબધ કેવળ કૃત્રિમ છે એમ મનને સ્પષ્ટ થતું જાય છે, તેમ તેમ નૈતિક હેતુનું નિયામક બળ