________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 37 અને “બળીયાના બે ભાગ” વાળી નીતિ જ્યાં પ્રવર્તમાન હોય છે ત્યાં પણ એ સત્યની સિદ્ધિ થતી નથી. વળી સમાજની અત્યંત સુધરેલી દશામાં પણ અમુક અંશે જ એ સત્ય લાગુ પડે છે. સભ્ય અને સુધરેલા સમાજમાં સામાન્ય સદાચાર પાળવાથી સુખ થાય છે, નિરંકુશ રાગદ્વેષથી દુઃખ થાય છે, અને સમાજના કાયદાનો ભંગ કરવા કરતાં તેમને તાબે રહેવાથી ફાયદો થાય છે. મેટા ગુનાની શિક્ષા થાય છે, પરંતુ જે દુરાચારથી તંદુરસ્તી અથવા પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચતી નથી એવા જરીક દુરાચારની મેજ જે માણે છે તે વ્યવહારમાં લહેર કરે છે. ખરું કહીએ તે સુધરેલા સમાન જમાં પણ દંભ, ડેળ અને ગુપ્ત દુરાચાર કાંઈ ઓછો ચાલતું નથી. તેથી ઉલટું, ઉત્સાહપૂર્વક અથવા દુ:ખ ખમીને પણ જે ઉંચી પ્રતિનું આચરણ રાખે છે તે લોકપ્રિય થતો નથી. પ્રમાણિકતામાં કુશળ વ્યવહાર–નીતિ છે, એ સૂત્રના નિરાકરણનો આધાર પિલિસ ખાતાના સામર્થ્ય ઉપર છે. ઉજળા લૂગડાં પહેરીને અને છાતી કાઢીને ચાલતા માણસનું જીવન બરાબર તપાસવામાં આવે, તે ઘણી વખત તે ગુપ્ત દુરાચારથી ખરડાએલું માલમ પડશે. પણ આત્મભોગ આપનારા સદાચારનો પાયો તે જૂદા જ હોય છે. કઈ પણ રૂપે સુખ જ જે અંદગીની મુખ્ય મતલબ હોય તો માફકસર મધ્યમતા જ આપણું જીવનને મુખ્ય મંત્ર બેશક થાય છે. પણ મધ્યમતા આત્મભાગ અને દુરાચાર બનેની વિરોધી છે. બુદ્ધિની કે નીતિની ખુબીને કોઈ પણ પ્રકાર એ નથી કે જેને મધ્યમ રીતે કેળવતાં તેમાં સામાન્ય રીતે સુખ ઉપજાવવાનું વળણુ ન હોય. પરંતુ મધ્યમતા ઓળંગી જતાં તેમાંથી દુઃખ થાય છે એ વાત પણ પ્રસિદ્ધ છે. વિદ્વાન માણસના આનંદને ભંડાર અખૂટ છે એ વાત ખરી, પણ એટલા માટે અત્યંત વિદ્વત્તાની દશા સુખને અનુકૂળ છે એમ માનવું ભૂલ ભરેલું છે. અતિ માનસિક પરિશ્રમથી જ્ઞાન તંતુએ રાગી અને ચીડીયા થઈ જાય છે, અજ્ઞાન અને મિથ્યાભિમાનનું કંટાળા ભરેલું અને શરીરને તાવી નાંખતું ભાન રહે છે, અને ગંભીર અને પણ પછી મે જાતે રહેતાં અને અપૂર્ણતા રહેતાં રાજર્ષિ ભર્તુહરિની માફક વિદ્વાનને બેલવાને અવકાશ રહે છે કે ઝાઝા ડહાપણમાં ઝાઝી ગમ