________________ annnnnnnnnnname 24 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તેથી દરેક કામ, દરેક વર્તન, દરેક કેમ, સમાજની દરેક સ્થિતિ, એટલે અંશે આદમ જાતનું સુખ વધારે તેટલે અંશે સદાચારી, અને જેટલે અંશે તે સુખ ઓછું કરે તેટલે અંશે દુરાચારી. હવે સ્વભાવની કેટલીક નિબળતાથી એવી કોઈ બાબતમાં નિશ્ચય કરી લેવાની ઢીલ કે ઉતાવળથી જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ અધમમાં અધમ દુરાચાર કે જેનું નામ પાડવું પણ લાજમ નથી તેથી થાય છે કે કેમ તે શંકા પડતી વાત છે.. શરમાળ, નિરાભિમાની, સ્વભાવે શાંત અને થોડું બોલનારે, પિતામાં રહેલી શકિતઓને અવિશ્વાસી, અને તકરાર કે દલીલની વાત આવતાં તુરત પિતાને તંત છોડી દે એ માણસ દુનિયાને એકંદર ઓછો લાભ કરી શકે છે એ વાત તે નિઃસંશય છે; પણ નિલજ, છાતીચલે અને ઉદ્ધત માણસ તડાકા ફડાકા મારી દરેક કામમાં માથું મારે છે અને ફાવી જાય છે. પરંતુ ઉપયોગિતાના સિદ્ધાંત પ્રમાણે આ માણસ વધારે સારો ગણાશે. વળી ઉપકારવૃત્તિને લીધે આપણે વ્યવહાર બેશક ઘણે સૌમ્ય અને કેમળ થયે છે, પરંતુ ઘણા જમાના પર્યત વેરની વૃત્તિને લીધે સામાજીક અંધાધુની અટકી છે, અને હાલ પણ ગુન્હા ઉપર એને અંકુશ છે. તેથી ઉપકારવૃત્તિ કરતાં વેર–વૃત્તિ જનસમાજને વધારે ઉપયોગી થઈ છે. સાર્વજનિક જીવનની વિશાળ રંગભૂમિ ઉપર, વિશેષ કરીને જ્યારે લેકે રાગદ્વેષથી ઘેરાઈ આચરણમાં પ્રવૃત્ત થાય છે ત્યારે, સૂક્ષ્મ નીતિના વિચારવાળો પ્રામાણિક અને નિષ્પક્ષ માણસ અથવા ઢગ કે ઢીલને સહન કરી ન શકત. ધર્મને એકમાર્ગ ઝનુની જગતને ઝાઝે લાભ કરી શકતા નથી. પરંતુ ગમે તે ઉપાયે પણ પોતાની મતલબ સાધવાને ખેતી, અંતર્યામિ દેવતાની ગુંચવણમાંથી તદ્દન મુક્ત અને કેવળ ઠંડે પેટે કામ કરનાર, સૂક્ષ્મદર્શી રાજદારી પુરૂષ તે સમયે સત્તાવાન થઈ પડે છે, કારણ કે લેકેના રાગ ષ અને સમયના દુરાગ્રહને કાંઈક સાચવી લેવાની કસમત તેનામાં હોય છે. આવી રીતે ફતેહમંદ નીવડેલા માણસોને ભલે કેટલાક લેખકે વખાણે અને હૃદયની વિશાળતા અને બારીક નીતિના વિચારને લીધે જેઓ નેતા