________________ 30 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધારે કે આવી ગણત્રી કરીને જ જનહિતવાદી માંસાહારાદિમાં પ્રવૃત્ત રહે છે. તે પછી ગરીબ માબાપનાં અરધા ભુખે મરી જતાં છોકરાને મારી ખતાં એના સિદ્ધાંતમાં શો વાંધો આવે છે ? કેમકે એના મત પ્રમાણે એ બાળકે અને બકરાં એક જ કેટીનાં છે. આ પ્રમાણે આ સિદ્ધાન્તમાં લૌકિક નીતિથી વિરૂદ્ધ અને કમકમાટી ઉપજાવે એવાં તર્કનાં પરિણામે અંતર્ગત રહેલાં છે. પરંતુ હંજી બે બાબતમાં બેસવાનું રહે છે. પતિવ્રત્ય અને સત્યનો પ્રેમ. પાતિવ્રત્ય વિશે આપણે આગળ બેસવું પડશે. અત્રે તે તે સંબંધી સારો કરે જ ઉચિત છે. ધારો કે પતિવ્રત્ય સંબંધી એક જમાનામાં અનાચાર અને નિરંકુશ સ્વછંદ પ્રવર્તે છે અને લેકના મનમાંથી તેની સ્વાભાવિક સર્વોત્તમતાને વિચાર બીલકુલ નીકળી ગયો છે; અને ધારો કે બીજા એક જમાનામાં એ બાબતમાં અતિ પવિત્ર સદાચાર પળાય છે. આ બે જમાનામાંથી નીતિમાં કયો સારો ? એ વિષે જે જનહિતવાદી વિચાર કરવા બેસે તે એણે કહેવું જોઈએ કે જે જમાનામાં વધારેમાં વધારે આનંદ અને ઓછામાં ઓછું દુઃખ થાય છે તે સારે. કૌટુંબિક જીવનમાંથી મળતો આનંદ, સમાજમાં નિરંકુશ વ્યવહારથી ઉપજતું સુખ.. પાતિવત્યના ભંગથી જૂદે જુદે અંશે ઉપજતા કલેશ, અને જીંદગીના દરેક પ્રકારને લીધે સુખ અને વસ્તીની વૃદ્ધિ ઉપર છેવટે જે અસર થાય છે તે–આ બધાં તે સરખામણી કરવામાં તો બને છે, અને આ ધોરણે તપાસતાં કેઈપણ માણસ એમ કહી શકશે કે પતિવ્રત્ય પાળતાં એકંદરે એટલું બધું સુખ ઉપજે છે કે નીતિમાં આપણે જે ઉત્તમ સ્થાન એને આપીએ છીએ તે વાજબી છે ? અર્થાત જનહિતવાદીના સિદ્ધાંતમાંથી પાતિવત્યને સદાચાર ઉપસ્થિત થતો નથી. * બીજી બાબત સત્યના પ્રેમની છે. સત્યપ્રેમી માણસ વહેમી હોતે નથી. હવે ધર્મમાં અંધ શ્રદ્ધાને શત્રુ જનહિતવાદીના જે બીજો કોઈ હતિ નથી. છતાં તેના સિદ્ધાંતમાંથી આ શત્રુતાનું વાજબીપણું સિદ્ધ થવું મુશ્કેલ છે. ગ્રીક લેકેને દેવની અધમ બીક હતી, અને બેશક આવી