________________ યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. છોકરાનું પન થતું હતું અથવા તેમને રખડતાં મૂકાતાં હતાં, છતાં ઉમરે પહેલાની અંદગી પવિત્ર ગણાતી હતી. વળી જે માણસે ધર્મનો. વિસ્તાર કરવા જાણી જોઈને જૂઠું બોલી ઉપયોગી વેહે ઉપજાવે તે અન્ય વ્યવહારમાં પણ જૂઠું બોલશેજ એમ તેમાંથી આવશ્યક રીતે નીકળતું નથી. સટ્ટામાં અત્યંત અપ્રમાણિક માણસ બીજા વ્યવહારમાં ઘણું કરીને ચોખ્ખા અને પ્રમાણિક હેય છે. જનહિતવાદને જે કઈ દુરાચાર બરાબર બંધ બેસતા હોય તો તે નિર્દયતા છે. પરંતુ પ્રાણીઓ પ્રત્યે દૂર થવાથી માણસે પ્રત્યે કર હોવાનું પરિણામ આવ્યું નથી; અને જ્યાં પ્રાણીઓને થતું દુઃખ આનંદનું મુખ્ય તત્વ હોય છે એવા દેખાથી ચારિત્ર્ય ઉપર માઠી અસર થાય છે ત્યાં પણ તે દેખાવાથી ઉપજતા માનુષી અસુખને સરવાળો તે વખતે ઉપજતા તાત્કાલિક અત્યંત આનંદની બરોબરી કરે છે કે કેમ ? તે પણ ઘણું સંશયની વાત છે. આમ જનહિતવાદમાં ક્રૂરતા આચરવાની. પરવાનગી મળે છે. પરંતુ એમાંથી જનહિતવાદમાં અતિ વિલક્ષણ પ્રકારનું એક બીજું પરિણામ પણ આવે છે. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાનું આપણું કર્તવ્ય છે એ વાતનું વાજબીપણું અને ખુલાસો આંતરવાદીના મત પ્રમાણે સહેલાઈથી થઈ જાય છે. જેના જેના સંબંધમાં આપણે આવીએ તે સર્વ પ્રત્યે આપણું સંજોગ અને ચારિત્ર્યના બળે આપણામાં જુદી જુદી લાગણીઓ જન્મે છે, અને તે દરેકની સારાસારતા વિષે આપણી મને દેવતા આપણને આપોઆપ કહે છે. તેથી જ બીજા કરતાં આપણા કુટુંબીઓ અને સ્વદેશીઓને આપણે વધારે ચાહીએ તો તે સ્વાભાવિક અને વાજબી છે. એજ મને દેવતા આપણને કહે છે કે પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાનું આપણું કર્તવ્ય સ્વાભાવિક અને વાજબી છે, છતાં તેમાં અને માણસે પ્રત્યે આપણી દયાના કર્તવ્યમાં ભેદ છે. માણસ માણસનું ભક્ષણ કરતો. નથી, પણ પ્રાણીઓને ખોરાકમાં વાપરે છે. ચામડાની ખાતર, અગર નજીવી અગવડમાંથી મુક્ત થવાની ખાતર માણસ મારતાં જેના હૃદયમાં કાંઈ આનાકાની થતી નથી તે માણસ પરેપકાર કરે છે એમ કહી તેને કોઈ