________________ આચરણને સ્વભાવ–સિદ્ધ ઇતિહાસ. 28 વખાણતું નથી. તથાપિ ખોરાક, મોજ કે સગવડની ખાતર પ્રાણીઓને જીવ લેવામાં જે માણસનું હૃદય કાંઈ ખતું નથી તે માણસ પ્રાણીઓ પ્રત્યે ઘણો દયાળુ છે એમ જનહિતવાદ પ્રમાણે ગણી શકાય. જમાનાના જુસ્સાને વશ થઈ, પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ એ વાતનું સમર્થન કરવા જનહિતવાદીઓએ પ્રસંશનીય પ્રયાસ કર્યો છે. પરંતુ મનુષ્યના સુખમાં વૃદ્ધિ કરવા ઉપરાંત અન્ય ઉદ્દેશને જે સિદ્ધાંત ઓળખતે નથી, તેમાંથી એ વાત ઉપસ્થિત થતી નથી એ સ્પષ્ટ છે. તેથી હાલમાં તે મતના કેટલાક અન્યાયીઓ એમ કહે છે કે જે સુખદુઃખની અહીં વાત થાય છે તે મનુષ્યનું હોય કે પ્રાણીઓનું હોય, પણ એકંદરે જે કાર્યથી સુખ વધારે થાય તે સારું, અને જેથી દુ:ખ વધારે થાય તે નઠારું. અર્થાત મનુષ્ય પ્રત્યે મનુષ્યનું જેવું કર્તવ્ય છે તેવું જ પ્રાણીઓ પ્રત્યે પણ છે. તેથી પ્રાણીઓના દુખ કરતાં મનુષ્યનું સુખ વધારે ન હોય તે તે દુઃખ કરવું વાજબી નથી. પરંતુ બાહ્યાનુભવવાદીના સિદ્ધાંતમાંથી આ વાત પણ કેમ નીકળી આવે છે તે સમજાતું નથી. આ સિદ્ધાંત પ્રમાણે, સ્વાર્થને લીધે માણસની પરોપકારમાં પ્રવૃત્તિ શરૂ થાય છે. પણ પછી ટેવ પડતાં પોપકાર એની મેળે થઈ જાય છે. પરંતુ ક્રૂરતાથી ખીજાઈ પ્રાણીઓ આપણને નુકસાન કરી શકે નહિ, તેથી પ્રાણીઓ પર આ સ્વાર્થનો પાયો રહેતો નથી. તમે કહેશો કે શુભેચ્છાની ટેવ પ્રથમ માણસો પર પડે છે અને પછી વિચાર–સાહચર્યના બળે પ્રાણીઓ પ્રત્યે તે આપણે લંબાવીએ છીએ; તો. તે વાત ઠીક છે, પરંતુ પ્રાણીઓ પ્રત્યેનું કર્તવ્ય માણસો પ્રત્યેના કર્તવ્યની કોટીનું લેખાય એ વાત આદરણીય નથી. પ્રાણીઓને મારી નાખતાં જે દુઃખ તેમને થાય છે તેમજ તેથી જે સુખ તેમનું જતું રહે છે તેના કરતાં, તેમના ચામડાને બનેલે પિશાક પહેરતાં અથવા તેના માંસનો આહાર કરતાં જે આનંદ થાય છે તે વધારે છે એમ જ્યાં સુધી કેદની ખાત્રી થાય નહિ ત્યાં સુધી તે માણસ તે પિશાક પહેરશે નહિ અથવા તે આહાર કરશે નહિ એમ બનવું કદિ સંભવિત લાગતું નથી. અને