________________ 26 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સાચવી રાખવું જોઈએ, નહિ તે ખરાબ દાખલો બેસે. પરંતુ આ પ્રત્યુત્તર સંતોષકારક નથી. કેમકે જનહિતવાદીએ એમ સાબીત કરી આપવું જોઈએ કે દુનિયા જેને ગુને કહે છે તેવા એક કાર્યથી સમાજના આ મહાન પાયા એવા નિર્બળ થઈ જાય છે કે તેથી તુરતના લાભ કરતાં દૂરસ્થ હાનિ વધારે થાય છે. નહિ તે, સુખની તરફેણમાં સીલક બાકી રહે છે, અને તેથી ખૂન, ચોરી કે અસત્ય ઉપયોગી થાય છે, અને તેથી જનડિતવાદીના સિદ્ધાંત પ્રમાણે તે સદાચાર જ ગણાય. દાખલે બેસવાની વાત જનહિતવાદી કરે છે તે પણ અસંગત છે. પ્રથમ તે અપ્રસિદ્ધ માણસનાં જાહેર કાર્યોથી દાખલાની અસર બહુ થોડી થાય છે. પણ તે કાર્યો જે કેવળ છાનાં રહી શકે, તે દાખલાથી ઉપજતી માઠી અસર થવાને સંભવ જ રહેતું નથી. તમે કહેશે કે જેને લેકે ગુના કહે છે તે આમ છાના કરવાની પરવાનગી લેકેને આપવી એ ઘણું જોખમ ભરેલું છે. તો તેનો અર્થ એટલે જ થાય છે કે એવી પરવાનગીને ટેરે પીટાવવામાં જનહિતવાદીને લાભ નથી, પણ તેટલા કારણુથી તે પોતે પિતાનો લાભ સાધતાં શા માટે અટકે ? જે કોઈ માણસને ખાત્રી હોય કે અમુક કાર્ય ઉપયોગી હોવાથી તેમાં પાપ નથી, એટલું જ નહીં પણ તે કરીને તાત્કાલિક લાભ તે મેળવી શકે એમ છે, અને વળી એવી ગુપ્ત રીતે એ કાર્ય તે કરી શકે એમ છે કે લોકોને દાખલા રૂપ તે બિલકુલ થઈ જ નહિ શકે, તે પછી જનહિતવાદના સિદ્ધાંત પ્રમાણે તે કાર્ય કરવામાં તે વાજબી જ છે. જેને આપણે સદાચાર કહીએ છીએ તે માત્ર ઉપયોગી હોવાથી જે નીતિમાન થતો હોય, તે જ્યારે તે ઉપયોગી થાય ત્યારે જ તે નીતિમાન હોઈ શકે. આમ કાર્યપ્રદેશમાં મોટે ભાગે “પાપ કરતા પકડાવું નહિ એ સદાચારનો સિદ્ધાંત થઈ જાય છે, અને પાકે અને ખધો માણસ ખરા સદાચારીમાં ખપી જવાને ભય ઉપજે છે. આ દોષનું નિવારણ કરવા કેટલાક એમ કહે છે કે એવા કાર્યથી કર્તાના સ્વભાવનું વલણ કમજેર થઈ જશે; અથવા બીજી રીતે બોલીએ તે જે કાયી સમાજને ઘણું કરીને હાનિકારક હોય છે એવાં કાર્યો કરવાનું પ્રસંગ મળતાં એને મન થઈ