________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. થઈ શકતા નથી તેમની હાંસી કરી તેઓ ભલે તેમને ધિક્કારે; પણ સમા એમ ભાગ્યે જ કોઈને વિચાર આવશે. જે માત્ર ઉપયોગિતાથીજ નીતિનું તોલન કરવાનું હોય, તે પોતે કરે છે તેના કરતાં મોટી દુર્દશા જે અટકાવે છે એવા વર્ગ પ્રત્યે નીતિને અણગમે આપણે કેવી રીતે બતાવે એ વાત સમજવી મુશ્કેલ થઈ પડે છે. વેશ્યાઓ સદાચાર કરે છે એમ કોઈ કહેશે નહિ. આમ ઉપયોગિતાના સૂત્રથી તે સદાચારને દુરાચાર અને દુરાચારને સદાચાર કહેવાનો પ્રસંગ આવે છે. હવે જનહિતવાદને યથાર્થ અનુભવમાં મેલતાં શું થાય તે આપણે જોઈએ. ધારો કે કોઈ માણસને વિચારમાં અને આચારમાં યથાર્થ જનહિતવાદી થવું છે, અને ધારો કે પોતાના સ્વાર્થ અને કર્તવ્યમાં દેખાતો તફાવત છે એ મુશ્કેલીનું સમાધાન પિતાના મન સાથે એણે પ્રથમથી જ કરી લીધું છે અને હવે કર્તવ્યનું જ જીવન એને જીવવું છે. પણ કર્તવ્ય શું? સ્વતંત્ર કાર્યની સદાચારતા કે દુરાચારતા જ નથી; ઉપયોગી કાર્યમાં દુરાચાર કદિ પણ હોતા નથી; અને કાર્યની ઉપયોગિતામાં જ સઘળો સદાચાર સમાએલો છે અને તેની કિંમત પણ તેથી જ કરવાની છે. આટલું જાણ્યા પછી જરીક અવલોકન કરતાં તે જીજ્ઞાસુને તુરત માલમ પડી આવે છે કે ખુન, ચેરી, જૂઠ ઇત્યાદિ ગુનાઓથી પણ દુનિયામાં ઘણીવાર લાભ થાય છે. તે એવાં કાર્યો એણે પણ શા માટે ન કરવાં? એમ પૂછતાં એને જવાબ મળે છે કે કાર્યોની નીતિ તપાસવામાં સમીપનાં અને દૂરસ્થ બને ફળોને ધ્યાનમાં રાખવાનાં છે; તેથી તે કાર્યો ખરું જોતાં ઉપયોગી નથી. વળી કેટલાંક જૂથી અને કવચિત ખૂનથી પણ લાભ થાય, તથાપિ જીંદગી અને મિલ્કતની પવિત્રતા જાળવવામાં મનુષ જાતનો એક પ્રકારને મોટામાં મોટો લાભ સમાએલે છે, અને વળી સત્ય બોલવાનું ઉંચું ધોરણ સમાજમાં