________________ wanaona 20 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. સિદ્ધાંતને રચવાનો પ્રયાસ કર્યા વિના પિતાના એવા અનુભવના આધારે વરતે છે તેમના વર્તનથી કેવળ વિરૂદ્ધ વાત કરે છે, અને સામાન્ય રીતે લેકે જે નૈતિક ભાષા વાપરે છે તેને ભેદ માત્ર ભુસી નાંખે છે; આટલીજ હકીકત તે સિદ્ધાંત સાચે ન હોઈ શકે તેની સબળ સાબીતી છે. અનુભવવાદી અહીં કહે છે કે લેકે પિતાના જીવનના મુખ્ય નિયમો બાબત બ્રમમાં છે અને નીતિ પરત્વે શબ્દમાં જે ભેદ તેઓ ભાખે છે તે પણ બ્રજ છે. પરંતુ જાણ્યા વિના જે કઈ કામ માણસ જીંદગી પર્યત કર્યા કરે છે તેનો અર્થ એટલે જ થાય છે કે તેના રહસ્યની તેને ખબર નથી; પણ તેટલા ઉપરથી તે ખોટું કરે છે એમ સિદ્ધ થતું નથી. - વળી કેટલાક કહે છે કે આનંદ એટલે ઈદ્રિયજન્ય ઉપગ અથવા વિલાસ નહિ, પણ સદ્દગુણી આચરણથી જે સંતોષ ઉપજે છે તે. પરંતુ એમ બોલવાથી પણ તેમના મતની સિદ્ધિ થઈ જતી નથી, કારણ કે કોઈ ભોગ આપતાં તેમાંથી થતા દુઃખ કરતાં એ સંતોષનું સુખ ઘણું વધારે છે એમ માની જે માણસ સદાચારી રહેતા હોય તે અંતે સુખવાદી જ રહે છે. ખરું કહીએ તો, સદ્દગુણના સંતોષનું સુખ શોધે મળતું નથી, પણ સગુણુની ખાતર સદગુણી રહેતાં તે સહજ ચાલ્યું આવે છે. કેવળ બીનસ્વાર્થી આસ્થા અહીં ફળીભૂત થાય છે; અને સદાચારને ખરે સંતોષ નિષ્કામ પ્રવૃત્તિથી જ પ્રાપ્ત થાય છે એ વાતનું ભાન માણસેના નૈતિક અભિપ્રાયેના મુળમાં રહેલું હોય છે. દેવતાઈ દરમ્યાનગીરીની વાત બાજુએ રાખીએ તે પણ આપણા સ્વભાવના નિયમને અનુસાર એક પ્રકારની કલ્યાણ કારી અસર પ્રાર્થનાથી ભકતોનાં હૃદય ઉપર એની મેળે થાય છે. દીનભાવે અત્યંત ભક્તિમાન બનીને અને પિતે દેવની સમક્ષ ઉભો રહે છે એવી અત્યંત સચેત કલ્પનાથી ઉત્સાહપૂર્વક જે અનન્ય ભક્ત પ્રાર્થના કરે છે. તેની માનસિક સ્થિતિ અતિ ઉન્નત અને તેના સુખની વર્ધક થાય છે. પરંતુ તે સિવાય અન્ય કોઈ આશા જેને સ્વાર્થમાં હોય છે તેને એ લાભ કદિ પ્રાપ્ત થશેજ નહિ. પિતાની પ્રાર્થનાને પ્રત્યુતર થશે એવી જેને આસ્થા કે આશા નથી તેની માનસિક દશા ઉજત થવી અશક્ય જ છે. માત્ર પથ્થરની મૂર્તિ