________________ આચરણનો સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. સમજવું જરીએ કઠિન નથી. ફલાણે માણસ આબરૂના ઉંચા વિચાર પિતાનું જીવન ગાળે છે એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે પિતાને અથવા સમાજનો સ્વાર્થ શોધવામાં જ એ તત્પર હોય છે એમ કહેવાને આપણે આશય હેતે નથી. સાર્વજનિક અભિપ્રાય એ છે કે સદગુણશાળી વર્તનમાં આત્મ-ભોગનું તત્ત્વ અવશ્ય હોય છે અને બદલામાં કઈપણ જાતના આનંદની આશા વિના જેમાંથી ઓછામાં ઓછો સ્વાર્થ સરે તેવા માર્ગનું જાણી જોઈને ગ્રહણ કરવામાં આત્મ-ભગ સમાએલે છે. છતાં નીતિને આ સિદ્ધાંત કહે છે કે સમજુ માણસના સઘળા માણસના વર્તનનું પ્રયોજન માત્ર સ્વાર્થ જ હોય છે. પરંતુ તે પ્રમાણે જાણી જોઈને કોઈ વર્તવા માંડે, તો એનું આચરણ દુષ્ટ અને તુચ્છ ગણાયા વિના રહેતું નથી. સ્વાથી વન નિર્દોષ હોય તે પણ તેને સદ્દગુણ કહી શકાતું નથી, અને સદ્દગુણનાં કાર્યો સ્વાર્થી ઇરાદાથી થાય છે એમ કહેવામાં સદ્દગુણને પ્રતિષેધ જ થાય છે. અંતરના ઉંડા ભાગમાં જઈને નીતિને સિદ્ધાંત જેવાને આગ્રહ આપણે રાખીએ, અથવા કોઈ મિત્ર યા દુશ્મનનું આચરણ આપણે તપાસવા બેસીએ, અથવા ઐતિહાસિક મનુષ્યો યા કોઈ નવલકથા કે નાટકના પાત્રનું તેલન કરવા આપણે તત્પર થઈએ, તે નીતિના નિયમ પરત્વે આપણું વૃત્તિઓ એવાજ પ્રકારની છે એમ આપણને માલમ પડે છે. જેટલે અંશે પિતાનાજ આનંદની ઈચ્છાથી માણસની સદાચારમાં પ્રવૃત્તિ થાય છે, તેટલે અંશે તેની કિંમત ઓછી એકાય છે; અને તદ્દન સ્વાર્થી માણસ નરાધમ ગણાય છે, પણ કેવળ નિઃસ્વાથીની ગણના અતિ ઉત્તમ થાય છે. એટલા જ માટે કેવળ સત્યની ખાતર રાજ-વૈભવ તળ ચાંડાળનું સેવન કરતા હરિ. ચંદ્ર રાજાની પ્રશંસા આપણે કરીએ છીએ. એટલા જ માટે એક વચનની ખાતર વનવાસ ભોગવતાં પાંડની આષણે વાહવાહ બોલીએ છીએ. આમ સઘળા જમાના, સઘળી પ્રજાઓ અને સામાન્ય લોક-અભિપ્રાય જે વાતને સર્વોત્તમ ચિન તરીકે ઓળખે છે તે જ વાતની આ સ્વાર્થવાદીઓ ના કહે છે. આ પ્રમાણે જે સિદ્ધાંત કેવળ બાહ્ય અનુભવના બળે આપણું નૈતિક જીવનના કાનુને સમજવાનો પ્રયાસ કરે છે તેજ સિદ્ધાંત, જે લેકે