________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 17 આપીને પણ પિતાના માનસિક વિલાસમાંજ મેજ માને છે. સિદ્ધાંતની આવી દશા અટકાવવા તેઓ કહે છે કે મેજની ખાતર જેમ માણસ અફીણ લેવું શરૂ કરે છે, પણ ટેવ પડયા પછી દુઃખ થવા છતાં તે છોડતું નથી, તેમ સદાચારની ટેવ પડયા પછી સદાચાર પણ છોડતા નથી. પરંતુ આ દલીલ પણ વાસ્તવિક નથી કારણ કે મેજની ખાતર શરૂ કરેલા દુર ચારની ટેવ મોજ ન મળે ત્યારે પણ માણસથી છેડાતી નથી તેનું કારણ એમ છે કે તેમ કરતાં અશાંતિ અને બેચેનીને લીધે મનની તીવ્ર વેદના એને થાય છે અને આ વેદના અટકાવવા પિતાની બુરી ટેવ એ જારી રાખે છે. તેથી દુઃખને દૂર કરવાના ઉપાય તરીકે અથવા બની શકે તેટલું વધારે સુખ મેળવવાની ખાતર જેનું સઘળું વર્તન થાય તે માણસ મુ સ્વાર્થી કે આપમતલબી છે એમ કહેવામાં ભાષાને દુરૂપયોગ થાય છે એમ કહી શકાય નહિ. અને આટલી વાત સાચી હોય તે બાહ્યનીતિવાદની બધી શાખાઓ સ્વાર્થાવલંબી છે એમ કહેવામાં અસત્યને ઉચ્ચાર થતો નથી. છતાં હઝ, મૅડવિલ તથા પેલેના મોજવાદમાં અને જનહિતવાદના સંસ્કૃત સુખવાદમાં ફેર છે એ વાત પણ આપણે સ્વીકારવી ઘટે છે. વળી, સદાચાર આચરનાં એક પ્રકારનો સંતોષ આનંદ આપણને થાય છે એમ જ્યારે આંતરવાદીઓ કહે છે ત્યારે તેમની ભાષા અને આ સુખવાદીઓની ભાષામાં જ કેર જણાય છે. સઘળાં શ્રેષ્ઠ આચરણને અંતર્ભાવ હલકા અને સ્વાથી ત:માં બનાવીને પિતાના સિદ્ધાંતની સપાટીએ જનસ્વભાવને ઉતારી પાડવાને મુખ્ય આશય મોજવાદીઓને હતો. સુખ અને સ્વાર્થના બંધનમાં એવી ઉત્કૃષ્ટતા મૂકવી કે તેમાં સર્વોત્તમ સદાચારને સમાવેશ થઈ જાય એ આશય પાછળથી થએલા કેટલાક સુખવાદીઓને હતે. જોકે આપણી મનોદેવતા મૂળે સ્વાર્થમાંથીજ વિચાર–સાહચર્યના બળે ઉપજી આવે છે, છતાં તે દેવતા જન-સ્વભાવનું ખરું તવ છે અને આપણું જીવનમાં તે માર્ગદર્શક થવી જોઈએ એ વાત હોટલીના અનુયાયીઓ સ્વીકારે છે. સહદય વૃત્તિઓની સત્યતા પણ તેઓ એવીજ રીતે સ્વીકારે છે. ખરેખર નિઃસ્વાર્થ વર્તનની શકયતા તેમને મતને અનુસાર તેઓ સ્વીકારી શકે નહિ એ વાત